Abtak Media Google News

ચોકલેટ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય.નાના મોટા બધા જ લોકોને ભાવતી ચોકલેટ દરેક સમસ્યાનું સમાધાન તરીકે કામ આવે છે.ચોકલેટથી બાળકને લાલચ આપીને મનાવી પણ શકાય છે અને પ્રેમિકાને પોતાના પ્રેમ વ્યક્ત કરવા માટે પણ આપવામાં આવે છે. અંદાજે ૧ અબજ લોકો વિશ્વમાં દરરોજ ચોકલેટ ખાય છે. ચોકલેટ તો બધા જ લોકોને પ્રિય હોય છે પરંતુ આપણા ઘરમાં બધા કહેતા હોય છે કે ચોકલેટનું વધુ પડતું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. પરંતુ ડાર્ક ચોકલેટના સેવનથી શરીરને ઘણા ફાયદા પણ થાય છે તો જાણીએ ચોકલેટથી થનારા લાભ:

૧.ડિપ્રેશન દૂર કરે છે 
આજના સમયમાં લોકો ડિપ્રેશનનો શિકાર વધુ બને છે ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી તે તાણ વધારતા હોર્મોન્સને નિયંત્રિત કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે ડાર્ક ચોકલેટ ખાવાથી હાઈ બ્લડપ્રેશર સંતુલિત થાય છે.તેથી જો તમે પણ ડિપ્રેશનમુક્ત જીવન જીવવા ઈચ્છતા હોય તો ચોકલેટનું સેવન કરવું જોઈએ.

૨.હાર્ટને સ્વસ્થ રાખે છે 
રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું છે કે ડાર્ક ચોકલેટ ખાવાથી હૃદયને લગતી ઘણી બીમારીઓથી સુરક્ષા મેળવી શકાય છે. ડાર્ક ચોકલેટનું સેવન કરવું હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે.દરરોજ એક ડાર્ક ચોકલેટનો કટકો ખાવો જોઈએ જેથી આપનું હ્રદય પણ સ્વસ્થ રહે.

I Love Chocolate 11 638

૩.બાળકના મગજનો વિકાસ થાય છે 
નાના બાળકો માટે ચોકલેટનું સેવન ખૂબ જ ફાયદાકારક છે કારણ કે ચોકલેટમાં ફ્લેવોનોલ્સ નામનો પદાર્થ હોય છે બાળકના મગજના વિકાસમાં ખૂબ જ મદદરૂપ થાય છે.તેથી બાળકોને ચોકલેટ ખાવાથી ન અટકાવીને નિયત પ્રમાણમાં ચોકલેટ આપવી જોઈએ.

૪.બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરે છે 
ડાર્ક ચોકલેટનું સેવન બ્લડ સર્ક્યુલેશન માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોલ્સ નામનો પદાર્થ હોય છે જે લોહીને ગંઠાઇ જવાથી રોકે છે. આ ઉપરાંત, બ્લડ સર્ક્યુલેશનમાં પણ સુધારો કરે છે .

Dark Chocolate Bar Squares

 ૫.વૃદ્ધાવસ્થાના પ્રભાવને ઘટાડે:
વૃદ્ધાવસ્થાના પ્રભાવને ઘટાડવા માટે ડાર્ક ચોકલેટને ખુબ જ અસરારક માનવામાં આવે છે. તેથી, જેઓ વધતી ઉંમરની   અસર ચહરા પરથી ઘટાડવા માંગતા હોય અને સુંદર દેખાવા માંગતા હોય તેઓને ડાર્ક ચોકલેટનું સેવન કરવું જોઇએ. તે સ્કિનમાં એન્ટી એજિંગ એલિમેન્ટ તરીકે કામ કરે છે.

નોંધ: આ લેખ માત્ર મેડિકલ જાણકારી સામાન્ય લોકોને મળે અને ખોટો ભય દૂર થાય તે માટે છે. કોઈ પણ સંજોગોમાં ડોકટરની સલાહ લેવી. કોઈ પણ દવા ડોકટરની સલાહ અને જાણ બહાર લેવી નહીં. દર્દીની સ્થિતિનો સાચો જાણકાર અને નિર્ણયકર્તા તેને ટ્રીટ કરનાર ડોકટર જ હોય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.