Abtak Media Google News

વડોદરા શહેરમાં આવેલી શ્રી ભારતી વિદ્યાલયમાં થયેલી ધો-9ના સ્ટુડન્ટ હત્યાના કેસમાં પોલીસે આરોપી સ્ટુડન્ટની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સ્ટુડન્ટની પૂછપરછ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી ભારતી વિદ્યાલયના શૌચાલયમાં ગઇકાલે શુક્રવારે નવમાં ધોરણમાં ભણતા સ્ટુડન્ટ દેવ ભગવાનદાસ તડવી (ઉ.વ.14)ની ધો-10ના સ્ટુડન્ટે કરી નાંખી હતી.

સ્ટુડન્ટ દેવના માથા, પેટ, ગળા અને હાથના ભાગે 31 ઘા માર્યા બાદ દિવાલ સાથે માથુ પછાડીને હત્યા કરી દેવામાં આવી હતી. સ્ટુડન્ટની ઘાતકી હત્યાને પગલે પોલીસે આરોપી સ્ટુડન્ટની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે 10માં ધોરણમાં ભણતા મહેશ ચુનારા(નામ બદલ્યુ છે)ની ધરપકડ કરી લીધી છે

તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. આરોપીની પૂછરપછમાં હત્યા શા માટે થઇ તેનું કારણે થઇ જે જાણવા મળશે. અને હત્યામાં સંડોવાયેલા અન્ય સ્ટુડન્ટના નામો પણ ખુલશે તેવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.