Abtak Media Google News

વડોદરાની ગુજરાત રિફાઇનરીના 3થી 4 હજાર કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. કામદારોની હડતાલના કારણે કંપનીને કરોડોનું નુકશાન થશે.

કંપનીમાં કામ કરતી વખતે લોખંડની રોડ માથા ઉપર પડતાં કામદારનું મોત નીપજતાં કામદારોમાં ભારે રોષ ફેલાયો છે. સેફ્ટીનાં અભાવે કામદાર સંદીપ પરમારનું મોત નીપજતાં કામદારોએ હડતાલ પાડવાની ફરજ પડી.

કોન્ટ્રાકટ પર કામ કરતા 3થી 4 હજાર કામદારો અચાનક હડતાલ ઉપર ઉતર્યા છે. કંપનીના ગેટ બહાર કામદારો ન્યાયની માંગ કરી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.