Abtak Media Google News

ડેંગ્યુ એક વાયરલ ફીવર છે કે જે વેક્ટર-બોર્ન ડિસીઝ છે. તેનો અર્થ છે કે તેને પ્રસરતો રોકવા માટે એક ટ્રાંસમીટરની જરૂર છે. એડીઝ આ ભયાનક વાયરસનાં વેક્ટર છે. ડેંગ્યુ થતા આપને તાવ, માથાનો દુ:ખાવો, માંસપેશીઓ અને સાંધાઓમાં દુ:ખાવો અને રેશેસ થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં આપને થા પણ લાગી શકે છે. ડેંગ્યુથી બચવા માટે આપે ઘણી સાવચેતીઓ વરતવાની હોય છે. આ તેના માટે લિમડાનાં પાંદડાઓનો પણ ઉપયોગ કરી શકો છો. આયુર્વેદનમાં લિમડનો ઉપયોગ સદીઓથી ઘણા રોગોનાં ઇલાજ કરવામાં આવે છે કારણ કે . લિમડાનાં લગભગ દરેક ભાગમાં ઘણા ઔષધીય લાભો હોય છે. જાણીએ લિમડનો ઉપયોગ ડેંગ્યુ સામે લડવા માટે કેમ કરવામાં આવે છે. નિમ્બિન અને નિમ્બીડિન લિમડાનાં પાંદડાઓમાં રહેલા કેમિકલ્સ છે કે જેની માઇક્રોબિયલ, અને અસર પડે છે. દિવસમાં બેથી ત્રણ વાર લિમડાનાં પાનનું પાણી પીવાથી બ્લડ પ્લેટલેટ્સ વધે છે. દરરોજ લિમડાનાં પાંદડા ચાવવાથી ઇમ્યુનિટી વધે છે, લોહી સાફ થાય છે અને બોડીમાંથી ટોક્સિન નિકળે છે. લિમડાનું તેલ મચ્છરોમાંથી રાહત પામવાનો બહેતર ઉપાય છે. તેને લગાવવાથી આપને ડેંગ્યુ મચ્છર કરડતા નથી. લિમડાનાં પાંતડાઓનો રસ પપૈયાનાં પાંદડાઓનાં રસ સાથે મેળવી પીવું ડેંગ્યુનાં ઇલાજ માટે ખૂબ શ્રેષ્ઠ ઉપાય છે. નિવારણ હમેશા ઇલાજ કરતા શ્રેષ્ઠ છે. ડેંગ્યુને રોકવા માટે મચ્છરોથી બચાવ કરવાનો સારો ઉપાય છે. મચ્છરોથી રાહત પામવા માટે લિમડાનાં સૂકા પાંદડાઓને બાળી ઉપયોગ કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.