Abtak Media Google News

જામજોધપૂર પંથકમાં અનેક સેવાકીય પ્રવૃત્તિમાં માતબર રકમનું દાન આપનાર અમેરિકા સ્થિત અગ્રણી દાતા ગોપાલભાઈ વાલજીભાઈ સવજાણી તેમજ ઉર્વશીબેન સવજાણી પરિવાર દ્વારા પોતાના માદરે વતન મોટા વડીયા મુકામે આવેલા માતૃશ્રી અમૃતબેન વાલજીભાઈ આશ્રમ શાળાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી તકે સવજાણી ચેરીટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી આશિભાઈ સવજાણી, મુંબઈ સ્થિત નરેન્દ્રભાઈ તેમજ મંજુલાબેન સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ હરદાસભાઈ ખવાએ દાતા પરિવારનું અદકે‚ સ્વાગત કર્યું હતુ કાર્યક્રમમાં બાળકીઓએ અનેક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.