Abtak Media Google News

રિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયાના ગવર્નર ઉર્જિત પટેલે ગર્વનર પદ પરથી રાજીનામું આપ્યું છે. વર્ષ 2013માં તેમની રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂક થઈ હતી.તેમણે આ નિર્ણય લેવા પાછળ વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો છે.

વ્યક્તિગત કારણોસરના લીધે તાત્કાલિક અસરકારક રીતેમે રાજીનામું આપ્યું છે વર્ષોથી રિઝર્વ બૅન્કમાં મને કામ કરવાની તક મળીએ મારા મારા ખૂબ જ ધ્ન્યતાની વાત છે. મહત્વની વાતતો એ છે કે ઉર્જિત પટેલનું કાર્યકાળ સપ્ટેમ્બર 2019 માં સમાપ્ત થવાનું હતું.

તેમણે આગળ લખ્યું, ‘આરબીઆઇ સ્ટાફ, અધિકારીઓ અને મેનેજમેન્ટના સમર્થન અને કઠણ મહેનતથી બેંકે તાજેતરના વર્ષોમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. હું આ તક પર મારા સાથીઓ અને આરબીઆઇના ડિરેક્ટરો પ્રત્યે આભારી છું અને તેમને ભવિષ્યની શુભકામનાઓ આપું છું’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.