Abtak Media Google News

અડદની દાળને કોઇપણ રુપે ખાવામાં આવે તો તેનાથી શક્તિ જ મળશે. આ દાળને પલાળીને, વાટીને કપાળ પર લેપ કરવાથી નક્સીર અને ગરમીમાં થનાર માથાના દુખાવામાં આરામ મળે છે ચાલો અડદની દાળના ફાયદા વિશે જાણીએ.

– રાત્રે નવટાંક અડદની દાળને પલાળી દો. સવારે તેને વાટીને દૂધ કે સાકરમાં મિક્સ કરી ખાવાથી હદ્ય અને મગજને લાભ મળશે.

– અડદની દાળને ઉકાળીને વાટી લો અને સૂતી વખતે માથા પર લગાવવાથી માથાના ટાલ પર ફાયદો થશે.

– જો ચહેરા પરના સફેદ દાગ દૂર ન થઇ રહ્યા હોય તો અડદના લોટને પલાળી બીજીવાર વાટીને દાગવાળી જગ્યા પર રોજ લગાવો. ચાર મહિના સુધી સતત લગાવવાથી દાગ દૂર થઇ જશે.

– જો હિંચકી બંધ જ થઇ રહી હોય તો આખી અડધની દાળને કોલસા પર નાખી તેનો ધુમાડો સુંઘવાથી હિંચકી ઠીક થઇ જશે.

– વીર્યનું મુખ્ય ઘટક પ્રોટીન છે. બધા જ કઠોળમાં પ્રોટીન હોય છે. પરંતુ અડદમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન હોવાથી તેના સેવનથી સારી શુક્રવૃધ્ધિ થાય છે.

– અડદની દાળ પાણીમા પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરુ, લસણ અને આદુ નાખી વડા બનાવવા તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી શુળ મટે છે.

– અડદ વાયુનાશક અને બળવર્ધક હોવાથી. કામશક્તિ- મૈથુન શક્તિ વધારે છે. જેમને વીર્યમાં શુક્રાણુની ખામીને લીધે બાળકો ન થતા હોય તેમણે અડદની દાળ અને અડદીયા પાકનો ઉપયોગ કરવો જોઇએ, જેમને સેક્સની સમસ્યા હોય, ઉત્તેજના ઓછી હોય તેમના માટે અડદની દાળ ઉત્તમ ઔષધી ગણાય છે. આવી તકલીફવાળા લોકોએ લાંબા સમય સુધી લસણવાળી અડદની દાળ, તલના તેલમાં બનાવેલ અડદના વડા અને અડદીયાનો પાક નીયમીત ખાવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.