Abtak Media Google News

ઉના ખાતે ગત અઠવાડિયે સર્કિટ હાઉસ ખાતે દિલ્હી ક્રાઈમ અને ભ્રષ્ટાચાર વિરોધી મોરચાના નેજા હેઠળ લોકોની જાગૃતિ માટે સર્કિટ હાઉસમાં મીટીંગ યોજાઈ હતી. ભારતમાં ક્રાઈમ અને ભ્રષ્ટાચાર નેસ્તનાબુદ કરવાના આશયથી દિલ્હી ક્રાઈમ ભ્રષ્ટાચાર વિરોધી મોરચાના નેજા હેઠળ ગત અઠવાડિયે ઉના ખાતે દિલ્હી સ્થિત અધિકારી પી.એન.ઉપાધ્યાય, નયન પંચોલીયા, ધિરેન્દ્રસિંહ ચૌહાણ, પંકજ ભોજાણી, મનીષ જોબનપુત્રા, પત્રકાર નિરવ ગઢીયા, યોગેશ ભુપતાણી વગેરેની ઉપસ્થિતિમાં સંસ્થાના નેજા હેઠળ મીટીંગનો કાર્યક્રમ યોજાયો હતો. ઉનામાં દિલ્હી ક્રાઈમનાં ભ્રષ્ટાચાર વિરોધીનાં મેમ્બર વધારેવધારે થાય લોકોનો ઉત્સાહ વધારી લોકો મેમ્બર માટે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.