Abtak Media Google News

પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને દેવી ચિત્રલેખાજીએ પણ ર્માં ખોડલના દર્શન કર્યા

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અનેભાગવત કથાકાર દેવી ચીત્રલેખાજીએ ખોડલધામ મંદિરે મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી મા ખોડલના આશીર્વાદ લીધા હતા.Whatsapp Image 2019 06 06 At 4.40.53 Pm

મનસુખભાઈ માંડવિયાની સાથે પોરબંદરના નવનિયુક્ત સાંસદ રમેશભાઈ ધડુકે પણ હાજરી આપી હતી અને મા ખોડલના ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ લીધા હતા. બન્ને નેતાઓએ મા ખોડલના આશીર્વાદ લીઈ ધન્યતા અનુભવી હતી. ઉપરાંત મનસુખભાઈ માંડવિયા અને રમેશભાઈ ધડુકે ખોડલધામ મંદિર પરિસરમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓને પણ નિહાળી હતી.૫ જૂનના રોજ ભાગવત કથાકાર દેવી ચિત્રલેખાજીએ પણ ખોડલધામ મંદિરે મા ખોડલના આશીર્વાદ લીધા હતા. દેવી ચિત્રલેખાજીએ મા ખોડલના ધામમાં આવી ધન્યતા અનુભવી હતી. ખોડલધામ મંદિરે દર્શન માટે આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડૂક અને ભાગવત કથાકાર દેવી ચિત્રલેખાજીના સ્વાગત માટે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ અને સોમનાથ અતિથિ ભવનના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.