Abtak Media Google News

કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહ આજે DG કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેવડિયા આવ્યા હતા. જ્યાં તેઓએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. અને સરદાર વલ્લભભાઇ પટેલના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

રાજનાથસિંહે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી અને વેલી ઓફ ફ્લાવર્સનો નજારો નિહાળ્યો હતો, આ ઉપરાંત તેઓએ સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લીધી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહ સાથે ગૃહ રાજ્ય મંત્રી હંસરાજ આહીર જોડાયા હતા.નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા સહિતના અધિકારીઓએ રાજનાથસિંહ સાથે હાજર રહ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.