Abtak Media Google News

બહુજન સમાજ રેલીને મંજુરી ન આપીને કાર્યવાહી કરવાની માગ: આંદોલનની ચીમકી.

બહુજન સમાજના વામન મિશ્રામ દ્વારા અગાઉ કચ્છ ખાતે બ્રહ્મસમાજ ઉપર અભદ્ર ટિપ્પણી કરેલ ત્યારે બ્રહ્મસમાજમાં તેમજ અન્ય સમાજમાં પણ તેને ઉગ્ર પ્રત્યાધાત પડયા હતા. ઉપરાંત નખત્રણા તાલુકામાં ફરીથી બ્રહ્મસમાજ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ આર.એસ.એસ.ના આદણીય મોહન ભાગવત માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો છે.

વધુમાં બહુજન સમાજ રેલીનું સમાપન આગામી તા. રર ઓકટોબરના રોજ અમદાવાદ ખાતે રાખેલ છે. ત્યારે સરકારને રેલીનું મંજુરી ન આપવામાં આવે અને રેલીને મંજુરી આપો તો કોઇપણ સમાજ માટે અભદ્ર ટિપ્પણી ન થાય અને સમાજ વચ્ચે વર્ગ વિગ્ર વાણી વિલાસ ન થાય તેમજ પ્રવચન દરમ્યાન કોઇપણ સમાજની કોઇપણ દેવી દેવતાઓનું અપમાન જનક શબ્દોનો પ્રયોગ ન થાય તેમજ કોઇપણ સમાજની લાગણી ન દુભાય તેવા શબ્દોનો પ્રયોગ ન થવો જોઇએ. આવા અસામાજીક તત્વોને ગુજરાતમાં કોઇપણ પ્રકારના કાર્યક્રમ કોઇપણ સમાજની ટીપ્પણી ન કરવા અને અભદ્ર શબ્દો ન બોલે તે ઇચ્છીનીય છે. તેમ ઉના સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે અને જો સરકાર આ મામલે પગલા નહી લે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.