Abtak Media Google News

ધાર્મિક કાર્યક્રમોની વણઝાર તેમજ મહારકતદાન કેમ્પ સહિતના આયોજનો

સ્વામીનારાયણ મંદિર ઉદયનગરમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના પુનિત કરકમલ દ્વારા બાલ સ્વ‚પ ઘનશ્યામ મહારાજનો તૃતીય વાર્ષિક પાટોત્સવ આવતીકાલે સદગુરુ દેવપ્રસાદદાસજી સ્વામીના સાનિધ્યમાં અતિ ધામધુમથી ઉજવવામાં આવશે.

આજે ગુરુવારના રોજ સાંજે ૫:૩૦ થી ૭:૦૦ કલાક સુધી જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૫ ને સવારે ૬:૦૦ કલાકે મંગળા આરતી, સવારે ૬:૪૫ થી ૭:૪૫ સુધી સિઘ્ધિવિનાયક પુજન, સવારે ૭:૪૫ થી ૮:૪૫ સુધી અભિષેક દર્શન, સવારે ૯ થી ૧૧:૪૫ સુધી સત્સંગ સભા (સરદારનગર કોમ્યુનિટી હોલ, સરદારનગર, રાજકોટ), બપોરે ૧૨:૦૦ કલાકે અન્નકૂટ આરતી તથા બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે તેમજ સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા સુધી મહારકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે તેમજ આ મહારકતદાન કેમ્પમાં રકતદાતાઓને સંસ્થા દ્વારા ‚ા.૧,૦૦,૦૦૦/-ની અકસ્માત વિમા પોલીસી તેમજ ભેટ આપી સન્માનિત કરાશે. હરિભકતોને આ ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહેવા શાસ્ત્રીશ્રી વ્રજવલ્લભદાસસ્વામી તથા માધવસ્વ‚પદાસજી સ્વામી અને પુજારી શ્રી અક્ષર સ્વ‚પદાસજી સ્વામીએ નિમંત્રણ પાઠવેલું છે.

આ કાર્યક્રમમાં પરમ શ્રઘ્ધેય દર્શનીય સંત મહાનુભાવો મહંત સદગુ‚ દેવકૃષ્ણદાસજી સ્વામી (રાજકોટ), શાસ્ત્રીશ્રી ભકિતજીવનદાસજી સ્વામી (હરિયાળા), સદ.મહંત મોહનપ્રસાદદાસજી સ્વામી (પીપલાણા), શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી સ્વામી (ફરેણી), સદ.પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી (મેમનગર), મહંતશ્રી હરિવલ્લભદાસજી સ્વામી (સ્વામિ નારાયણ મંદિર, ભુપેન્દ્ર રોડ, રાજકોટ), શાસ્ત્રી ભકિતનંદનદાસજી સ્વામી (મોરબી), કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (સાંકળી), શાસ્ત્રી કૃષ્ણપ્રકાશદાસજી સ્વામી (બાલા હનુમાન), શાસ્ત્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી (મેંદરડા), કોઠારી ધર્મનંદનદાસજી સ્વામી (વંથલી), પુરાણી માધવજીવન સ્વામી (જુનાગઢ) ઉપસ્થિત રહી પોતાના આર્શીવચન આપશે.

આ કાર્યક્રમના યજમાન પદે કાંતિલાલ રામજી ઘોડાસરા, વિજયાબેન કાંતિલાલ ઘોડાસરા, મિતુલકુમાર કાંતિલાલ ધોડાસરા, અમીબેન મિતુલકુમાર ઘોડાસરા, પ્રિતલકુમાર મોહનભાઈ પટેલ, મીરાબેન પ્રિતલકુમાર પટેલ, ચિ.સુરજકુમાર પ્રિતલકુમાર પટેલ તમામ રાજકોટવાળા બિરાજશે. આ કાર્યક્રમમાં સરબતની પ્રસાદી હરેશભાઈ ચુનીભાઈ સોલંકી તરફથી હરીભકતોને આપવામાં આવશે.

આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા કાંતીભાઈ ઘોડાસરા, જયસુખભાઈ ટીલવા, વિષ્ણુભાઈ રબારા, કાંતીભાઈ કલોલા, ચંદુભાઈ રતનપરા, વલ્લભભાઈ કલોલા, કિશન ટીલવા, ભાવેશભાઈ કલોલા, રણછોડભાઈ કથીરીયા, અતુલ મારડીયા, જીતુ વેકરીયા, હરેશ ખુંટ, લલીત કલોલા, રાજેશ ચૌહાણ, કનુભાઈ જાવીયા, અનીલભાઈ ટાંક, ધી‚ભાઈ કોરડીયા, મનીસ લાડવા વિગેરે હરિભકતો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.