દાંડિયા આમ તો સામાન્ય દાંડી જ છે જેનો ઉપયોગ માત્ર નવરાત્રી પૂરતો જ કરવામાં આવે છે તે પછી તો તે માળીયામાં ‘ઘા’ ખાય છે જો કે દાંડિયા પૌરાણિક કાલથી ચાલતા આવ્યા છે. જેનો સૌ પ્રથમ વખત ઉલ્લેખ હરિવંશ પુરાણમાં જોવા મળે છે, એ પછી તો બ્રહ્મપુરાણ, વિષ્ણુપુરાણ, અગ્નિપુરાણ તેમજ ભાગવતમાં પણ દાંડિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માટે જ પૌરાણીકનું સમયથી જ દાંડિયા થાક્યા વગર રાસ લેતા આવે છે. મધ્યપ્રદેશની ગ્વાલિયર પાસેની બાઘ ગુફામાં ચોથી અને પાંચમી સદીના કેટલાક ભીંતચીત્રો મળી આવ્યા છે જેમાં દાંડિયાનું પણ ચિત્ર છે. દાંડિયાના માપ-સાઇઝનું પ્રકાર વિશે લેખન ઇતિહાસના વિવિધ ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. જેમ કે ૧૬મી સદીના પંડિત પુંડરિક વિઢ્લે લખ્યુ છે દાંડિયા અંગુઠા જેટલા જાડા, સોળ ઇંચ લાંબા, ગાંઠ વગરના, આકારમાં સીધા હોવા જોઇએ. પરંતુ હવે તો ફેન્સી સ્ટિલનાં દાંડિયા પણ બજારમાં મળે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી