Abtak Media Google News

બાઈકમાં અપહરણ કરી જઈને હત્યા કરી નાખી

મોરબીમાં રવિવારે સાંજે ગુમ થયેલ બાળકના પિતાએ પુત્રના અપહરણની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસ અપહૃત બાળકનો પત્તો મેળવી સકે તે પૂર્વે આજે ઘુનડા નજીકથી બાળકનો સળગાવી દીધેલા મૃતદેહના અવશેષો મળી આવ્યા અને બાળકની હત્યા અન્ય કોઈએ નહિ પરંતુ તેના માસા દ્વારા કરવામાં આવી હોવાનો ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે

મોરબીના પાનેલી ગ્રામ પંચાયત નજીકના રહેવાસી અશોકભાઈ ચાવડાએ તેના બાળકના અપહરણ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં શકદાર હાર્દિક ઘનશ્યામ ચાવડાએ તેના પુત્રનું અપહરણ કર્યાની આશંકા વ્યક્ત કરી હતી ફરિયાદીનો પુત્ર હિતેશ ચાવડા મોરબીના વજેપરમાં તેના મામાના ઘરે રહેતો હોય અને ૧૧ વર્ષનો હિતેશ ધોરણ ૫ માં અભ્યાસ કરતો હતો જે રવિવારે સાંજે વજેપર શેરી નં ૧૧ નજીકથી નાસ્તો કરવાનું કહીને ગયા બાદ પરત ફર્યો ના હતો.

જે ફરિયાદને પગલે શકમંદ બાળકના માસા હાર્દિક ચાવડાને એ ડીવીઝન પોલીસ મથકે આકરી પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો અને સજ્જનપર ઘુનડા રોડ પર તેને બાળકની હત્યા કરી મૃતદેહ સળગાવી નાખ્યો હોવાની કબુલાત આપી હતી અને સ્થળ પર તપાસ કરતા સળગાવી દીધેલા મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા.જેને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યા છે ઘટનાસ્થળે ડીવાયએસપી, એ ડીવીઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી અને વધુ તપાસ ચલાવી હતી અને બાળકની હત્યાના આરોપી માસા હાર્દિક ચાવડા અને તેના ભાઈ વિજય ચાવડાએ બંનેને ઝડપી લઈને વધુ પૂછપરછ ચલાવી છે

મૃતક હિતેશના પિતા અશોકભાઈ ચાવડાને શકમંદની પત્ની સોનલબેન સાથે આડાસંબંધ હોવાની શંકા હોય તેમજ તેની પત્ની હિતેશ ચાવડા પ્રત્યે ખુબ પ્રેમ દેખાડતી હોય અને તેના બહાને તેની પત્ની અશોક ચાવડાને મળવા જતી હોય જેને પગલે ગઈકાલે નાસ્તો લેવા હિતેશ ઘર બહાર નીકળ્યો ત્યારે મોટરસાયકલમાં અપહરણ કરી લઇ ગયો હતો અને બાદમાં ગળું દબાવી હત્યા કરી હતી તેમજ બાદમાં મૃતદેહ સળગાવી નાખીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.મોરબીમાં સતવારા મધ્યમવર્ગીય પરિવારમાં આડાસંબંધે માસૂમનો ભોગ લીધો છે સાઢુભાઈને તેની સાળી સાથેના આડાસંબંધ હોવાની શંકાએ સાઢુભાઈએ તેના ૧૧ વર્ષના ભાણેજની હત્યા કરી નાખી છે જેને પગલે માત્ર બાળક જ નહિ પરંતુ સંબંધોની પણ હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.