Abtak Media Google News

વાંકાનેરના રાતા વિરડા ગામનો બનાવ

એકાદ મહિના પહેલા મોટર સાયકલની ચાવી લેવા બાબતે માથાકૂટ થઈ હતી

વાંકાનેરના રાતાવીરડા ગામે મોટર સાયકલમાંથી ચાવી કાઢવા બાબતે અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી યુવાનની પત્થર ના  ઘા ઝીકી હત્યા કરી નખાતાં આ મામલે પોલીસે એક પરપ્રાંતીય સહિત બે વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના રાતાવિરડા ગામે રહેતા લખમણભાઇ જેરામભાઈ કુણપરાએ વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધાવેલ કે તેમના મરણજનાર દીકરા જગદીશ લખમણ કુણપરા ઉપર.વ.૪૦ ને આજથી એકાદ મહિના પહેલા મોટરસાયકલ ની ચાવી લેવા બાબતે આરોપીઓ સાથે માથાકૂટ થયેલ હોય અને મરણ જનારે બંને આરોપીઓને ઢીકાપાટુનો માર મારેલ જે બાબતનો ખાર રાખી બંને આરોપીઓએ એક સંપ કરી મરણ જનારને જેમ ફાવે તેમ ભૂંડાબોલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી બંને આરોપીઓએ મરણ જનારને નીચે પાડી દઈ પથ્થરના ઘા માથામાં પાછળના ભાગે અને આગળના ભાગે મારી ગંભીર ઇજા કરી ફરિયાદીના દીકરાનું મોત નિપજાવ્યુ હતું.આ હત્યાઅંગે મરણ જનારના પિતાની ફરિયાદના આધારે પોલીસે સંજય ભગવાનજી ઉકેડીયા રહે રાતાવિરડાઅને સંદીપભાઈ રાયસીંગભાઈ માલવી રહે.હાલ સરતાનપર મૂળગામ નીપનીયા ધાકડ,એમ.પી. વાળાઓ વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૦૨, ૫૦૪, ૧૧૪ તથાજીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. જી.આર. ગઢવી તેમજ ટીમ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.