Abtak Media Google News

બે ભેંસો તણાઇ: રામજી મંદિર ઉપર વીજળી પડતાં શિખરને નુકસાન

ગીર ગઢડા તાલુકામાં બે દિવસના વીરામ બાદ ફરી વરસાદ નોંધાયો છે. બે કલાકમાં બે ઈંચ ખાબકતા રાવલ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. નીતલી ગામે નદીમાં પુર આવતા વરજાંગભાઈ માલધારીની બે ભેંસો તણાઈ હતી. ખીલાવડ, ધોકડવા, નગડીયા, જસાધાર, બેડીયા, મોતીસર, ચીખલકુબા, નિતલી, વડલી ગામોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો. સાહિ નદીમાં પણ ઘોડાપુર આવ્યું હતું.

Img 20200713 181218

નગડીયા, શરોસણી, અંબાડા, વાજડી તેમજ છ ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. ગીર ગઢડા તાલુકાના વડલી ગામમાં રામજી મંદિર ઉપર વિજળી પડતા રામજી મંદિરના શીખર પર તિરાડ પડી હતી. ધોકડવાથી તુલસીશ્યામ જતા રસ્તા પર ઝાડ ધરાશાયી થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.