સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે અનેક રમતોનું આયોજન કરવામાં આવે છે ત્યારે બે દિવસીય ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં કુલ ચાર ટીમોએ પોતાનું પર્ફોમન્સ દેખાડયું હતું. ધ્રાંગધ્રા ઝાલાવાડ ગ્રાઉન્ડમાં ફુટબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવેલ જેમાં ચાર ટીમોએ ભાગ લીધો હતો. ત્યારે ફાઈનલમાં ટીમએ ૪ વિરુઘ્ધ એક ગોલથી વિજેતા બની હતી ત્યારે વિજેતા ટીમને છોટુભા મેજર રજની હસ્તે અને ઉપ વિજેતાને શૈલેષભાઈ શાહ હસ્તે ટ્રોફી આપવામાં આવેલ. આ પ્રસંગે પ્રો.સંજયભાઈ શુકલ, મનોહરસિંહ રાણા, ભીમાભાઈ રબારી, મહાવીરસિંહ ઝાલા, ચંદુભાઈ ઠાકર સહિતના હસ્તે ખેલાડીઓને મેડલ અને મોમેન્ટો આપવામાં આવેલ ત્યારે ટુર્નામેન્ટ સફળ બનાવવા માટે લતીફભાઈ વ્યાસ અને મહેન્દ્રભાઈ પરમાર અને ઝાલાવાડ ગ્રાઉન્ડના ખેલાડીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.
Trending
- હકીકતમાં સાપ પાસે ‘નાગમણી’ છે કે નહીં કેવી રીતે જાણવું?
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!
- સિંહ અને સિંહણ બંને માંથી કોણ વધુ ખતરનાક ?
- રાજકોટ કોર્પોરેશનમાં મેનેજરની 8 જગ્યાઓ માટે 2922 ઉમેદવારો મેદાનમાં!!
- વિદેશ મંત્રી એસ. જયશંકર પ્રબુધ્ધ નાગરિક સાથે કરશે સંવાદ
- સોનામાં તેજી હી તેજી : ભાવ 70 હજારને પાર