Abtak Media Google News

મૃતકોના પરીવારમાં શોકનો માહોલ: પોલીસે ફરીયાદ નોંધી શોધખોળ ચાલુ કરી

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર દિવાળી જેવા તહેવારોના દિવસોમાં ગોઝારી દુધટના સર્જાઇ છે. શેખપાટ ગામના પાટીયા પાસે ટ્રક અને બાઇક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં બાઇક સ્વાર બે ભાઇઓના કરુણ મૃત્યુ નિપજયા છે. આ બનાવથી મૃતકના પરિવારમાં ભારે ગમગીની છવાઇ છે.

આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ જીઆઇડીસી ફેઇસ થ્રી વિસ્તારમાં રહેતા નારણભાઇ કેશુરભાઇ કોડીયાતર (ઉ.વ.રર) તેમજ તેમના ભાઇ ભરતભાઇ કોડીયાતરે રવિવારની મોડી સાંજે પોતાના બાઇક પર બેસીને જામનગર રાજકોટ ધોરી માર્ગ પર શેખપાટ ગામના પાટીયા પાસે પસાર થઇ રહ્યા હતા.

જે દરમ્યાન સામેથી રોગ સાઇડમાં પુરપાટ વગેરે આવી રહેલ ટ્રક ટોરસના ચાલકે બાઇકને હડફેટમાં લઇ લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નારણભાઇને ગંભીર ઇજા થઇ હોવાથી બનાવના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું.

જયારે તેના ભાઇ ભરતભાઇ કોડીયાતરને પણ ગંભીર ઇજા થઇ હોવાથી સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ટુંકી સારવાર દરમ્યાન તેણે દમ તોડી દીધો હતો. આમ બન્ને ભાઇઓના વાહન અકસ્માતમાં મૃત્યુ નિપજયા હતા.

આ અકસ્માતના બનાવના સ્થળે મૃત્યના પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી છે મૃતના મોટાભાઇ ભુરાભાઇ કેશુરભાઇ કોડીયાતરે તેના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે જે આરોપી પોતાનો ટ્રક છોડીને ભાગી છુટયો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.