Abtak Media Google News

દ્વારકામાં કારતક સુદ અગિયારસને તા.૧૯ને સોમવારના રોજ સળંગ ૧૪માં વર્ષે માંગલીક પરિવાર દ્વારા સિધ્ધનાથ ગરબી ચોકમાં ભવ્ય તુલસીવિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.૧૮મીએ સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી સાંજીના ગીત, ૧૯મીએ સાંજે ૫.૩૦ કલાકે જાનઆગમન, સાંજે ૭ થી ૮ હસ્તમેળાપ તથા રાત્રે ૮.૩૦ કલાકે જાનવિદાય સહિતના માંગલીક અવસરોનું આયોજન કરાયું છે. આ અંગે વધુ વિગત માટે આયોજન હેમુબેન મજીઠીયા મો. ૯૬૩૮૭૫૯૮૦૦ અથવા ચાંદનીબેન દેવમુરારી મો. ૯૮૨૫૬૯૨૩૭૧નો સંપર્ક સાધવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.