Abtak Media Google News

મોરબીના માળીયા પાસે આવેલી હોટલ નજીક ટ્રક પાર્ક કરીને ટ્રક ઉપર સૂતેલા ડ્રાઇવરે ભૂલથી વિજલાઈન અડી લેતા વીજ શોક લાગવાથી તેનું મોત નીપજ્યું હતું.

પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ કચ્છના નખત્રાણાના ટ્રક ડ્રાઇવર કાનુભા જાડેજાએ ગત રાત્રે પોતાનો ટ્રક મોરબીની માળીયા ફાટક પાસે આવેલી વસુંધરા હોટલ નજીક પાર્ક કર્યો હતો. ટ્રક પાર્ક કરીને ટ્રક ડ્રાઇવર ટ્રકની કેબીન ઉપર સુતા હતા. તે વેળાએ જીવિત વિજલાઈનને અડી જતા તેઓને વિજશોક લાગ્યો હતો અને તેઓનું મોત નીપજ્યું હતું. પોલીસે આ ઘટનાની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.