Abtak Media Google News

રાજકોટ શહેરના વોર્ડ નં.૧ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી નીધી સ્કુલ દ્વારા ધો.૩ અને ૪ ના વિઘાર્થીઓને કુવાડવા પાસે આવેલ ત્રિમંદીર ખાતે પ્રવાસ યોજાયો હતો. ત્યાં બાળકોને વર્ધમાન તીર્થકર સીમંધર સ્વામીના દર્શન કરવામાં આવ્યા હતા.

તેમજ જ્ઞાની પુરુષ પરમ પૂજય દાદા ભગવાન અને આત્મ જ્ઞાની પરમ પૂજફ નીરુમાં વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યાં બાળકોને સંસ્થા દ્વારા થતી અનેક વિવિધ પ્રવૃતિઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ પ્રવાસનું આયોજન સ્કુલનાં ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સીપાલ બીનાબેન ગોહેલ, આશાબા જાડેજા, અર્ચનાબા જાડેજા, અદિતી ભટ્ટની દેખરેખ હેઠળ યોજાયેલ હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.