રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયા તથા મહામંત્રી ભાનુભાઈ મેતાએ રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે ભારતીય જનસંઘના સંસ્થાપક અને પ્રખર રાષ્ટ્રવાદી ચિંતક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથી નિમિત્તે પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ દાખવી દેશહિતમાં નિર્ણય લઈને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવીને ડો.શ્યામાપ્રસાદ મુખર્જીનું સ્વપ્ન સાકાર કર્યું છે. ડો.મુખર્જીએ રાષ્ટ્રવાદના આધાર પર જનસંઘની સ્થાપના કરીને એલાન કર્યું હતું. એક દેશ મેં દો વિધાન, દો પ્રધાન નહિ ચલેંગેના સૂત્ર સાથે લડત લડીને દેશની એકતા અને અખંડિતતા માટે થઇ તેને કુરબાની આપી છે. જેને દેશ કાયમ યાદ રાખશે. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં બાબુભાઈ નસીત, ગીરીશભાઈ પરમાર, શૈલેશભાઈ અજાણી, ભાસ્કરભાઈ જશાણી, પ્રવીણભાઈ સેગલીયા, અરુણભાઈ નિર્મળ, ભરતભાઈ રબારી, દિનેશભાઈ વીરડા, રજનીભાઈ સખીયા, હિરેનભાઈ જોશી, અલ્પેશભાઈ અગ્રાવત, વિવેકભાઈ સાતા, કિશોરભાઈ રાજપૂત, હરેશભાઈ રૈયાણી સહીતના જીલ્લાના તથા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ