Abtak Media Google News

રાજકોટ જીલ્લા કક્ષાનો ૭૧મો વન મહોત્સવ કણકોટ ખાતે ઉજવાયો

ગુજરાત રાજય બિન અનામત આયોગના અધ્યક્ષ હંસરાજભાઈ ગજેરાએ રાજકોટ જિલ્લાના ૭૧માં જિલ્લા કક્ષાના વન મહોત્સવના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતું કે, પર્યાવરણના જતન માટે વૃક્ષોનું સંવર્ધન જરૂરી છે. સમગ્ર રાજયમાં વૃક્ષોનું વાવેતર વિસ્તાર વધે અને જાહેર જનતામાં પર્યાવરણ અંગેની જાગૃતિ આવે તે હેતુસર આજરોજ સમગ્ર રાજયના તમામ જિલ્લાઓમાં એકી સાથે ૭૧મો વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેની ઉજવણી રાજકોટના સામાજીક વનીકરણ વિભાગ દ્વારા કણકોટની આદર્શ નિવાસી શાળા ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ ગજેરાએ વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું અને ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે વૃક્ષોના વધુને વધુ વાવેતર અને ઉછેર પર ભાર મુકયો હતો.

સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના અધ્યક્ષ ડોકટર ભરત બોઘરાએ જાહેર જનતાને વન મહોત્સવમાં સામેલ થવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, પર્યાવરણની શુદ્ધિ માટે વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે. રાજકોટ જિલ્લામાં થઈ રહેલી વનીકરણની પ્રવૃતિઓની આંકડાકીય વિગતો ડોકટર બોઘરાએ રજુ કરી હતી. રાજકોટ જિલ્લામાં વિવિધ સરકારી યોજનાઓ અન્વયે કુલ ૨૯,૨૦૦ એકર જમીનમાં ૨,૭૭,૬૦૦ રોપાનું વાવેતર જુલાઈ ૨૦૨૦ સુધી કરવામાં આવ્યું છે જયારે વન મહોત્સવ નર્સરી યોજના હેઠળ ૧૬,૩૦,૦૦૦ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે અને વિકેન્દ્રિત નર્સરી યોજના હેઠળ ૬,૭૫,૦૦૦ જાહેર જનતાના વાવેતર માટે ઉછેરવામાં આવ્યા છે.

As

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયા, અગ્રણી નાગદાનભાઈ ચાવડા, નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી ગણાત્રા, આસીસ્ટન્ટ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ તન્વાણી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.વી.ગાંગડીયા સહિત વન વિભાગના અધિકારીઓ તથા વૃક્ષપ્રેમી નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.