Abtak Media Google News

ભારતીય લશ્‍કરમાં ભરતી થવા માટે પ્રારંભિક પરીક્ષા લેવામાં આવી હતી.

આ પરીક્ષામાં સુરેન્‍દ્રનગર જિલ્‍લાના ૩૦ યુવાનો પસંદગી પામ્‍યા હતા અને આ યુવાનોને આગામી પરીક્ષા આપી શકે તે માટે તેમને વિશેષ તાલીમ આપવા વિનય મંદિર વઢવાણ ખાતે તાલીમ વર્ગ યોજવામાં આવ્‍યો હતો.

Img 8701        જિલ્‍લા પોલીસ વડા શ્રી દિપકભાઈ મેઘાણીની વિશેષ ઉપસ્‍થિતિમાં યોજાયેલ આ તાલીમ વર્ગમાં યુવાનો ઉત્‍સાહથી જોડાયા હતા. આ પ્રસંગે શ્રી મેઘાણીએ જણાવ્‍યું હતું કે, ભારતીય લશ્‍કરમાં જોડાઈને રાષ્‍ટ્રીય સેવા કરવાની તક સાંપડે છે તે આનંદની વાત છે. આ તાલીમ અઘરી હોય છે. પરંતુ યુવાનોએ ધૈર્ય અને શિસ્‍તથી તાલીમ પુરી કરશે તો તેઓ ચોકકસ સફળતા પ્રાપ્‍ત કરશે.

શ્રી મેઘાણીએ તાલીમાર્થીઓ સફળ થાય તેવી શુભેચ્‍છા પાઠવી હતી.

Img 8685        આ પ્રસંગે જિલ્‍લા રોજગાર અધિકારીશ્રી જેઠવા અને અન્‍ય અગ્રણીઓ તથા યુવાનો ઉપસ્‍થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.