Abtak Media Google News

રાજકોટવાસીઓ પર કરબોજ લદાય તેવી સંભાવના: સવારે ૧૦ કલાકે મ્યુનિ.કમિશનર બજેટ સ્ટેન્ડિંગ સમક્ષ રજુ કરશે

 

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૧૮-૧૯નું રીવાઈઝડ બજેટ અને ૨૦૧૯-૨૦નું સામાન્ય અંદાજપત્ર આવતીકાલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરશે. બજેટનું કદ ૨૦૦૦ કરોડ આસપાસ રહે તેવી સંભાવના જણાઈ રહી છે. બજેટમાં રાજકોટવાસીઓ પર કરોડો રૂપિયાનો કરબોજ લાદવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.

વર્ષ ૨૦૧૯-૨૦ના અંદાજપત્રમાં અનેક નવી યોજનાઓ મુકવામાં આવે તેવી પણ શકયતા હાલ જણાઈ રહી છે. હાલ મહાપાલિકાની પોતિકી કહી શકાય તેવી ટેકસની આવકમાંથી પગાર ખર્ચ પણ નિકળતો ન હોય બજેટમાં કાર્પેટ એરિયાના દરમાં વધારો કરવા સહિતનો કરબોજ લાદવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષ માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા ૧૭૨૭.૫૮ કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ બજેટના કદમાં રૂ.૪૧.૭૫ કરોડનો વધારો કરી ૧૭૬૯.૩૩ કરોડના બજેટને બહાલી આપી હતી. નવા નાણાકીય વર્ષ માટે કાલે રજુ થનારા બજેટનું કદ ૨૦૦૦ કરોડ આસપાસ રહે તેવી સંભાવના છે. કાલે સવારે ૧૦ કલાકે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ચાલુ સાલનું રીવાઈઝડ બજેટ અને નવા નાણાકીય વર્ષનું સામાન્ય અંદાજપત્ર રજુ કર્યા હતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની ૧૧:૦૦ કલાકે પત્રકાર પરીષદને સંબોધશે જેમાં બજેટ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.