Abtak Media Google News

આ દિવસે બ્રહ્માજી દ્વારા સૃષ્ટિનું નિર્માણ, વિક્રમ સંવતનો શુભારંભ, રામનો રાજયાભિષેક, આર્ય સમાજની સ્થાપના, નવરાત્રી પ્રારંભ, ઝુલેલાલનો જન્મદિવસ જેવા પર્વ: મહાન દેશભકત ડો.કેશવરાવ હેડગેવારનો જન્મદિવસ

કાલે ચૈત્ર સુદ પડવો, ગુડી પડવો, હિન્દુ કાલગણના પ્રમાણે નવા વર્ષની શરઆત. આપણા દેશમાં કાલગણના માટે ઘણી પદ્ધતિઓ છે પરંતુ આ પદ્ધતિ ઈ.સ. પહેલાની વૈદીક કાલગણના મુજબની ખુબ જ પ્રાચીન પદ્ધતિ છે. આજના દિવસે બ્રહ્માજીએ સૃષ્ટીનું નિર્માણ કરેલું. સમ્રાટ વિક્રમાદિત્ય દ્વારા વિક્રમી સંવતનો શુભારંભ, મર્યાદા પુરુષોતમ ભગવાન રામનો રાજયાભિષેક, આ દિવસે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના થઈ.

નવરાત્રીનો પ્રારંભ (શકિતની આરાધના) તથા ભગવાન ઝુલેલાલનો જન્મદિવસ જેવા દિવસો છે. આજ દિવસે નાગપુરમાં એક મહાન દેશભકત ડો.કેશવરાવ બલીરામ હેડગેવારનો જન્મ થયેલ. જેમણે વિશ્વનું સૌથી મોટું દેશભકત સંગઠન એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરેલ. આ મહાન દેશભકત વિશે થોડુ જાણીએ.

ડો.કેશવરાવ બલીરામ હેડગેવાર જે મહાપુરુષની પ્રેરણા અને જ્ઞાનને લીધે આપણને કાર્ય કરવાની પ્રેરણા જાગૃત થાય છે કે, જેમને આજે વર્ષો બાદ પણ આજે યાદ કરીએ છીએ તે દેશભકત વિશે જાણીએ. જેમનો જન્મ ચૈત્રી સુદી એકમ-પડવો વર્ષ પ્રતિપદા ૧, એપ્રિલ ૧૮૮૯ના રોજ થયો હતો. ફકત બાર વર્ષની ઉંમરે માતા રેવતીબાઈ અને પિતા બલીરામજીનું હૃદયદ્રાવક અવસાન થયું. કાકા આબાજી હેડગેવારની છત્રછાયામાં બાળપણ વિતાવ્યું. છત્રપતિ શિવાજી મહારાજની વાર્તાઓમાંથી સ્ફુર્તિ પ્રાપ્ત કરી. નાનપણથી જ દેશભકિતની દાજ: સીતાબર્ડી કિલ્લા ઉપરથી યુનીયન જેક ઉતારી ભગવો ઘ્વજ ફરકાવવાની યોજના.

નાનપણ સ્કુલમાં, વંદે માતરમ્ આંદોલનની શરૂઆત કરી. આખી હાઈસ્કુલમાં જરૂરી સફળતા. બંને નિવાસીય હાઈસ્કુલમાંથી બરતરફી થઈ. ત્યારબાદ યવતમાળ અને પુનામાં શિક્ષણ પુરું કર્યા બાદ ૧૯૧૦માં કલકતામાં દાકતરીનો અભ્યાસ શરૂ કર્યો. આમ બંગાળ એટલે આખા ભારતનું ક્રાંતીકારી ઘર. આમ ચાલુ અભ્યાસે બંગાળી જીવન સાથે સમરસતા કેળવી લીધી. મહાન ક્રાંતીકારીઓ શ્યામસુંદર ચક્રવર્તી, મોતીલાલ ઘોષ, અમૃત બઝાર પત્રીકાના સંપાદક અને તે સમયના ક્રાંતીકારી નેતાઓ સાથે ગાઢ પરિચય અને આ ક્રાંતીકારીઓ વડે દેશભકિતના કામોમાં જોડાણા.

બહુ ઓછા લોકોને એ વાતની ખબર હશે કે આ અધિવેશનમાં લોકતંત્રની સ્થાપના અને દુનિયાના તમામ દેશોની પુંજીવાદી શકિતઅદથી મુકિતની માંગણીના ઠરાવના જનક નાગપુર નેશનલ યુનિયનના ડોકટર હેડગેવાર જ હતા. બાદ ૧૯૨૧માં અસહકાર આંદોલનમાં પહેલા કારાવાસ કર્યા બાદ તમામ દેશભકિતના આંદોલનમાં અને હિંદુ સમાજમાં શુ ત્રુટી છે તે અંગેનું મનન કરી ઈ.સ.૧૯૨૫માં વિજયાદશમીના શુભ દિવસે નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. ૧૯૩૦માં સત્યાગ્રહમાં અકોલા જેલમાં કારાવાસ.

બે વર્ષ કારાવાસમાં ફકત દેશભકિત, સંઘની ચિંતા. આમ સંઘની શકિત વધતી ગઈ. ૧૯૩૨ અને ૩૪માં મધ્યપ્રાંત સરકારે એક સરકારી પત્રક દ્વારા સંઘની ઉપર કરેલા આક્ષેપો અને તેનું યોગ્ય ખંડન કર્યું. દારીદ્રયની પરવા કર્યા વગર કાર્યમાં અગ્રેસર રહેવાની વૃતિ, તન, મન, ધનથી સેવા કરવાની. આમ પોતાના દેશભકિત કાર્યમાં શ્રેષ્ઠ ચરીત્ર રહ્યું હતું. ઋષિતુલ્ય દેશભકત ૨૧ જુન, ૧૯૪૦ના દિવસે નાગપુરમાં અવસાન પામ્યા. પ.પૂ.ડોકટરજી દ્વારા આરંભાયેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નિરંતર બળવાન થઈ રહ્યો છે એના કારણે હિન્દુ રાષ્ટ્રનો વૈભવકાળ નજીક આવી રહ્યો છે એમ કોઈ સંદેહ નથી. આ સમયે એ જ ઈચ્છા છે કે રાષ્ટ્રદર્શી ડોકટરજીના આ જીવનચરિત્રમાંથી પ્રત્યેકને પોતાનું રાષ્ટ્રીય કર્તવ્ય કરવાની પ્રેરણા સતત મળતી રહે. કાર્યને અનુરૂપ સ્વભાવ પરિવર્તન આણનારી ડોકટર સાહેબની વિવેકબુદ્ધિ અદભુત હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.