ઢેબર રોડ પર આવેલા સ્વામિનારાયણ ગૂરૂકુળમાં ભગવાન સ્વામિનારાયણને અભિષેક કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં હરિભકતો ઉમટી પડયા હતા ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ અભિષેક કરી હરિભકતોએ ધન્યતાની લાગણી અનુભવી. મહત્વનું છે કે ચાતુર્માસ શરૂ થઈ રહ્યા છે ત્યાર ભગવાન સ્વામિનારાયણને દૂધનો અભિષેક કરી હરિભકતો દ્વારા નિત્યનિયમમાં રહેવાય તેવી પ્રાર્થના કરી હતી આ સાથે જ અષાઢ મહિનોએ ચોમાસાનો મહિનો છે. અને આ મહિનામાં સામાન્ય રીતે વરસાદ સારા પ્રમાણમાં આવે છે. જોકે વિધિની વક્રતા કહો કે અન્ય કોઈ પરિણામ પરંતુ આ વર્ષે વરસાદની ખેંચ વર્તાઈ રહી છે. ત્યારે હરિભકતોએ આજે ભગવાન પાસે સારા વરસાદની પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ ગુરૂકુલ સહિત સુરત, વડોદરા, અમદાવાદ સહિત હરિનોમના દિવસે શ્રી હરિને દૂધનો અભિષેક કરવામાં આવે છે. અને દરેક હરિભકતોને દૂધની પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવે છે. આજે અષાઢ સુદ નોમના દિવસે રાજકોટ ગૂરૂકુલમાં અભિષેકને લઈ મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન પાસે વરસાદની માંગ કરી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા