Abtak Media Google News

નવરાત્રિને માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે નવરાત્રી એક એવું પર્વં છે જે સનાતન સંસ્કૃતિમાં સ્ત્રીઓના ગરીમાપૂર્વક અનુષ્ઠાનનું મહત્વ સમજાવે છે વર્ષમાં આવતી કુલ ચાર નવરાત્રી એકમથી લઈને નવની એમ નવ દિવસની હોય છે આસો માસમાં આવતી શારદીય નવરાત્રિમાં નવ દિવસ સુધી આદ્યશક્તિ મા જગદંબાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાની આ પરંપરા દાયકાઓ નહીં પરંતુ પૌરાણિક યુગની ચાલી આવે છે અને નવરાત્રિના પર્વ શક્તિના શાંતિ માટે નું પર્વ માનવામાં આવે છે એકમથી નોમ સુધી માતાજીના નવ અવતારો નું પૂજન અનેકવિધ ફળ રૂપ પુણ્ય આપે છે આ વર્ષે નવરાત્રિના કોરોના મહામારી ને પગલે જાહેરમાં રાસ ગરબા અને કાર્યક્રમનું આયોજન મુલતવી રાખવામાં આવી છે પરંતુ આદ્યશક્તિની આરાધના ની પરંપરા યથાવત રહેવા પામી છે સંધ્યા ટાણે કુમારિકાઓ દ્વારા મા અંબાના વિવિધ પૂજન ની સ્તુતિ આ નવરાત્રી નું મહત્વ વધારી રહ્યું છે

Hand Writing With Pen 15

એકમથી નોમ ના માતાજીના નવ અવતારો મા આજે ચોથા નોરતે માતા કુષ્માંડાનું પૂજન કરવામાં આવે છે પ્રથમ નોરતું  સેલ પુત્રી સોભાગ્ય બીજા નોરતે બ્રહ્મચારિણી માતાજીના પૂજનથી કાર્યમાં સફળતા ત્રીજા દિવસે પૂજાતા માતા ચંદ્રઘંટાહુકમ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે આજે ચોથના દિવસે માતા કૂષ્માંડા પૂજન ન મહત્વ રહેવા પામ્યું છે મા દુર્ગાના નવ અવતાર અલગ-અલગ ફલશ્રુતિ ના પુણ્ય માં નિમિત્ત બને છે જીવનમાં જે સત્વ અભિગમ અને આશીર્વાદ ની મૂળભૂત જરૂરિયાત છે તે આ તમામ નવ દિવસોમાં અલગ-અલગ માતાજીના પુજન જીવનમાં પ્રાપ્ત થાય છે દિવાળી અને બેસતા વર્ષના નવા વર્ષની ઉર્જા અને પ્રકાશ ની પ્રાપ્તિ પૂર્વે જરૂરી શક્તિના ચંચય કરતા નવરાત્રિ મહોત્સવમાં આજે કુષ્માંડા માતાજી ની સ્તુતિ નું પણ અનેરું મહત્ત્વ રહ્યું છે કૂષ્માંડા માતાજી ભક્તને આકર્ષણનું વરદાન આપે છે જીવનમાં ધગશ લગની અને આકર્ષણ પણ મહત્વનું છે આકર્ષણથી સંમોહન અને મનમાં જે ભાવના ઉભી થાય છે જેનાથી જીવનમાં જીજીવિષા નો જન્મ થાય છે જીજીવિષા લગની અને કંઈક પ્રાપ્તિની એષણા માનવીને કાર્ય માટે પ્રોત્સાહિત કરે છે જીવન અને પૃથ્વીલોક હોય કે બ્રહ્માંડ આકર્ષણ વગર સર્વ શક્તિ અને વ્યવસ્થા નિરસ બની રહે છે માનવીને જીવંત લઈને મોક્ષ સુધી નું આકર્ષણ દેવ અને ઈશ્વરને ભક્તોની ભક્તિ પ્રત્યેનું આકર્ષણ સંબંધોમાં આકર્ષણ કાર્યમાં ધગશ અને એકબીજા પ્રત્યેના ભાવ સુંદરતા પ્રેમ તત્વ તત્વ પૃથ્વી આલો ક પરલોક બ્રહ્માંડ સમગ્ર વ્યવસ્થા અને ચકલા પરમાત્માની આ માયામા જો આકર્ષણ નું મહત્વ ન હોય તો બધું જ મિથ્યા બની જાય છે આજના ચોથા નોરતે પૂજાતા મા જગદંબાના કુષ્માંડા અવતાર ની સ્તુતિ ભાવિક જન્મ આકર્ષણનો અવિર્ભાવ આપે છે આકર્ષણ વગર જીવન પુથ્વી સજીવ સૃષ્ટિ શકલ સમાજ તો શું પણ બ્રહ્માંડની વ્યવસ્થા નિસ્તેજ બની જાય છે આજે માતા કુષ્માંડા ના પુજનથી મળતા આકર્ષણ ના આશીર્વાદ સૃષ્ટિમાં એકબીજા સાથે સંકલન સંસારને ચેતનાનો સંચાર કરે છે જ્યારે જ્યારે ધર્મનો નાશ થતો દેખાય છે ત્યારે ત્યારે અધર્મ નો સંહાર કરવા માટે આદ્યશક્તિના અવતાર અવશ્ય થાય છે મહિષાસુર નામનો દાનવ દરેક વ્યક્તિના અંતરમાં ઉંડા રણમાં ભરાયો છે જ્યારે જ્યારે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તેમનો સહકાર કરવો અતિ આવશ્યક હોય છે મહિસાસુર વધ તેમ જ શુભનનીશુભ જો પૌરાણિક કથાઓમાં આસુરી વૃત્તિ પર સાત્વિક શક્તિનો વિજય દર્શાવવામાં આવ્યો છે અને આ ભાવના નવરાત્રીનાં આ નવ દિવસો દરમ્યાન ઉજાગર થાય છે આજે માતા કૂષ્માંડા ના પૂજનથી મળતો આકર્ષણનો આશીર્વાદ સમાજ જીવન અને ધર્મ પ્રત્યે માનવીને વધુ સજાગ અને ચેતના યુક્ત બનાવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.