રાજકોટ મહાનગરપાલિકા ના વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નં.૧૫ ના નગરસેવક વશરામ ભાઈ સાગઠિયાનો આજે જન્મ દિવસ છે. તેવો ત્રણ વાર જંગી લીડ સાથે નગરસેવક તરીકે ચૂંટાયા છે. વિરોધ પક્ષના નેતા તરીકે પ્રજાના પ્રશ્નો હલ કરવામાં ક્યારેય પાછી પાની કરી નથી. શાસકોને સતત દોડતા રાખ્યા છે.વહીવટી તંત્રને પણ સતત સજાગ રાખવામાં ટેવોનો સિંહફાળો રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસે તેઓની સેવાની નોંધ લઈ ૨૦૧૭માં વિધાનસભામાં રાજકોટ ગ્રામ્ય બેઠકની ટિકિટ આપી હતી. ૨૦૧૦થી ૨૦૧૫ની ટર્મમાં પણ તેઓ વિરોધ પક્ષના નેતા તરીકે ફરજ નિભાવી ચુક્યા છે. હાલ વશરામ ભાઈ ૨૦૧૫ થી વિરોધ પક્ષ ના નેતા તરીકે પ્રજાના સાચા પ્રહરી તરીકે જવાબદારી નિભાવે છે. લોકડાઉનમાં પણ તેવોએ અલમીન ટ્રસ્ટના નેજા હેઠળ સેવાયજ્ઞ ચાલુ રાખ્યો હતો.આજે જન્મદિન નિમિતે તેઓના મોબાઈલ નં.૯૮૨૫૧ ૬૫૧૯૧ પર અવિરત શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
Trending
- Samsung Galaxy S23 Ultra પર હવે ભારે ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર્સ…
- આ પ્રોટીનયુક્ત ખોરાક અલ્ઝાઈમર રોગથી બચાવી શકે છે
- રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે બે સફેદ વાઘ બાળનો જન્મ
- AC નું તાપમાન આટલું રાખવાથી વીજળી બચશે!!
- વિકાસ ટનાટન : ફક્ત એક જ વર્ષમાં શેરમાર્કેટનું વેલ્યુએશન 132 લાખ કરોડ વધ્યું
- પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને રૂ. 2 લાખ દંડ : NDPS કેસમાં પાલનપુર કોર્ટનો ચુકાદો
- આ સરળ દેખાતી કોબીના આશ્ચર્યજનક ફાયદા
- Pocoએ નવો પાવરફૂલ ફોન કર્યો લોન્ચ…