Abtak Media Google News

જલારામ સત્સંગ મંડળ દ્વારા મહિલા સત્સંગ તેમજ પ્રસાદી વિતરણ થશે

સાવરકુંડલા ખાતે છેલ્લા ૫૦ વર્ષ થી જલારામ બાપાના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરનાર જલારામ મંદિર ના પ.પૂ.શ્રી રામુદાદા માધવાણીના  ૮૩ વર્ષ પૂર્ણ કરી આજે તા.૨૮ જાન્યુ ૨૦૧૯ ના રોજ  ૮૪ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરશે. અને જલારામ મંદિર માં ૧૨ વર્ષ થી સેવા આપનાર સેવક  હિંમત ભાઈ સોમૈયા નો પણ ૭૧ મો જન્મ દિન હોઈ જેના ૭૦ પૂણર થયેલ હોઈ.

આ પ્રસંગે તા.૨૮ જાન્યુ ૨૦૧૯ ના રોજ સવારે ૬:૧૫ કલાકે મંગળા આરતી અને સવારે ૬:૩૦ કલાક થી ૭:૩૦ સુધી મહિલા સત્સંગ નું આયોજન અને બપોરના ૧૨ કલાકે રાજભોગ થાળ જલારામ બાપને ધરવામાં આવશે અને બપોરના ૪:૩૦ થી ૬:૩૦ કલાક સુધી જલારામ સત્સંગ મંડળ દ્વારા મહિલા સત્સંગ નું આયોજન  ત્યાર બાદ પૂ.રામુદાદા ના વરદ હસ્તે પ્રસાદી વિતરણ થશે અને સાંજે ૬:૪૫ કલાકે આ આરતી બાદ કેક કાપીને જન્મદિન ની ઉજવણી સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.