Abtak Media Google News

Sunil Grover બહુ જલ્દી સોની ચેનલ પર પ્રસારિત થનાર શો ‘એન્ટરટેનમેન્ટ કે લિએ કુછ ભી કરેગા’ ને હોસ્ટ કરવાના છે. વર્ષ ૨૦૧૪ પછી આ શોને હવે આ વર્ષે સોની ચેનલ એકવાર ફરીથી લઈને આવી રહી છે. આ વખતે શોની છઠ્ઠી સીઝન હશે. અનુ માલિક અને ફરહાન ખાન આ વખતે શોનાં જજીસ હોવાના છે. કપિલ શર્મા અને Sunil Grover ની લડાઈ પછી હવે સુનીલને પોતાના સોલો શોની તલાશ છે. ખબરોની માનીએ તો પોસ્ટ આઈપીએલ સુનીલનો બ્રાંડ ન્યૂ શો લોન્ચ કરવાની ફિરાકમાં છે. ‘એન્ટરટેનમેન્ટ કે લિએ કુછ ભી કરેગા’ ને લાસ્ટ ટાઈમ કૃષ્ણા અભિષેક અને મોના સિંહે હોસ્ટ કર્યો હતો પરંતુ સુનીલની પોપ્યુલારિટીને ધ્યાનમાં રાખી તેમને આ વખતે તક મળી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, ફેમસ રિયાલીટી શો ‘ધ કપિલ શર્મા શો’ ને તાજેતરમાં ૧૦૦ એપિસોડ પૂર્ણ કરવાની ખુશી પર ગ્રહણ લાગી ગયું છે. સોની ટીવીએ કપિલનાં શોને ઓફ એર કરવાનું મન બનાવી દીધું છે. સોની ટીવી કપિલનાં શોને આગળ રિન્યુ કરવાનો ઇનકાર કરી દીધો છે. આ ખબરની સાથે જ કપિલ શર્માને બહુ મોટો ઝટકો લાગ્યો છે. જો કે, છેલ્લા ઘણા સમયથી કપિલ શર્મા તે દરેક પ્રયત્ન કરી ચૂક્યા છે જેનાથી શો છોડી ચુકેલા કલાકાર ફરીથી શોમાં પરત આવે અને શોની ટીઆરપી વધે. પરંતુ કપિલ શર્મા આવું કરવામાં નિષ્ફળ રહ્યા છે અને સોની ટીવીને કપિલનાં શો વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે.

સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની લડાઈની સૌથી વધારે અસર ‘ધ કપિલ શર્મા શો’ નાં રેટિંગ્સ પર પડી છે. ગયા અઠવાડિયે શોની ટીઆરપી ઘણી ડાઉન થઇ ગઈ હતી. કપિલ શર્માનાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.