Abtak Media Google News

આચારાંગ સુત્રમાં પ્રભુ મહાવીરનો ઉપદેશ

કાલે વૈશાખ સુદ અગિયારસના જિન શાસનનો સ્થાપના દિવસ

જૈન દશેનમાં જે જે તીથઁકરો થાય છે તે નવું તીથે ઊભું નથી કરતાં પણ માત્ર તીથેનો પુનરુધ્ધાર કરે છે.પ્રભુ મહાવીર પણ અનંતા તીથઁકરોની પરંપરાને અનુસર્યા.અત્યારે વિશ્વમાં મહાવીરના નામે અનેક લોકો પંથ,વાડા અને પોતાનો અલગ ચોકો જમાવવાનો પ્રયત્ન કરે છે તે દરેક માટે આ વાત ખૂબ જ મનનીય છે.જે ઉપદેશ આ ચોવીસીના પ્રથમ તીથઁકર આદીનાથ ઋષભદેવ ભગવાને આપેલો તે જ ઉપદેશ ચોવીસમાં તીથઁકર પ્રભુ મહાવીર આપે છે એટલું જ નહીં પરંતુ આવતી ચોવીસીના દરેક તીથઁકર પરમાત્મા પણ આ જ  ઉપદેશ આપશે એટલે જ જિનવાણીને ત્રિકાલાબાધિત કહેવાય છે.20180723 075727 1

અનંત ઉપકારી ચરમ અને પરમ ત્રિલોકીનાથ તીથઁકર પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામીએ ૩૦ માં વર્ષે દીક્ષા અંગીકાર કરી.સાડા બાર વષે અને એક પખવાડીયુ પ્રભુ મૌન રહી આયે તેમજ અનાયે ક્ષેત્રોમાં વિચરણ કરી અજબ – ગજબની સાધના – આરાધના કરી.કડાઝૂડ અને કઠોર સાધનાની ફલશ્રુતિ રૂપે વૈશાખ સુદ દશમના પ્રભુને કેવળજ્ઞાન અને કેવળ દશેનની પ્રાપ્તિ થઈ ત્યારે દેશના અથોત્ ઉપદેશ આપવાનું ચાલુ કર્યું પરંતુ  પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઇ કારણકે કોઇ જીવાત્માએ વ્રત – પચ્ચખાણ અંગીકાર કર્યા નહીં.

આ ઘટના જૈન દશેનમાં આશ્ચર્યકારક ઘટના એટલે કે શાસ્ત્રની પરીભાષામાં અચ્છેરા તરીકે નોંધાણું.બીજે દિવસે વૈશાખ સુદ અગીયારસના પાવન દિવસે પ્રભુએ દેશના -સદ્દબોધ આપ્યો.પ્રભુની વાણીથી પ્રભાવિત થઇ અનેક આત્માઓએ બાર વ્રત અંગીકાર કર્યા તો અમુક પૂણ્યશાળી આત્માઓએ પંચ મહાવ્રત ધારણ કરી સાધુ – સાધ્વીજી બન્યાં. આ જ દિવસે તારક તીથઁકર પ્રભુએ તીથેની સ્થાપના કરી એટલે કે સાધુ,સાધ્વી,શ્રાવક અને શ્રાવિકા. પ્રભુના શાસનમાં ૧૪૦૦૦ શ્રમણો, ૩૬૦૦૦ શ્રમણીઓ, ૧૫૯૦૦૦ શ્રાવકો તથા ૩૧૮૦૦૦ શ્રાવિકાઓ હતી.

જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પ્રભુ મહાવીરે પોતાની પ્રથમ દેશના આચારાંગ સૂત્રમાં પ્રભુએ ખૂબ સુંદર વાત કરી કે જગતના દરેક જીવો સાથે પોતાના આત્મા સમાન વ્યવહાર રાખવો,જેવી રીતે અનંતા તીથઁકર ભગવંતો રાખતા હતા.ગૌતમ ગણધર હોય કે ગોશાલક,ચંદન બાળા હોય કે પછી ચંડ કૌશીક સપે હોય.પ્રભુએ ફરમાવ્યુ કે પ્રત્યેક જીવને સુખ પ્રિય છે.દરેક જીવોને જીવન પ્રિય છે,મરવુ કોઈને ગમતું નથી.

પ્રભુની અનંતી કૃપાથી જ વતેમાનમાં આપણી પાસે આગમ અને અણગાર,સંતો અને શાસ્ત્રો રૂપી મહામૂલી મોંઘેરી મૂડી છે. પ્રભુ મહાવીર નિવોણ પધાર્યા ને ૨૫૪૫ વષે થયા,હજુ પંચમ આરાના ૧૮૪૫૫ વષે આ જિન શાસન ઝગમગતું, ઝળહળતું,વિજયવંતુ,જયવંતુ રહેવાનું છે.શાસન સ્થાપનાના મંગલ દિવસે પ્રભુ મહાવીરને તથા અનંતા તીથઁકર પરમાત્માઓને કોટી… કોટી વંદન.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.