મહોમ્મદ રફીનું નામ સાંભળતાં ભારતના સંગીત પ્રેમી લોકોમાં એક અનેરો આદરભાવ જાગી આવે છે. સ્વ. મહોમ્મદ રફી એક ઉમદા ગાયક હતા. જેમના સ્વરને જુની પેઢીના તો ઠીક પરંતુ હાલની નવી પેઢીના લોકો પણ માણે છે.મહોમ્મદ રફીકે જેઓને રફી સાહેબના હુલામણા નામથી વધુ ઓળખાય છે. જેઓની પુણ્યતીથી હાલમાં ૩૧ જુલાઇના રોજ હતી.તેમને સ્વર શ્રઘ્ધાંજલી આપવા રાજકોટમાં રફી સાહેબનામોટા એવા ફેન અને મેલોડી કલર્સ ઓકકેસ્ટ્રાના મનસુઅ ત્રિવેદી દ્વારા ‘મહોમ્મદ રફી કી યાદે’ નામથી એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં છેલ્લા ર૦ વર્ષથી મહોમ્મદ રફી જેવો અવાજ જેમના કંઠમાં વણાયેલો છે તેવા રહીમભાઇ શેખ દ્વારા રફી સાહેબના સદાબહાર ગીતો ગાઇ સંગીત પ્રેમીઓને મંત્ર મુગ્ધ કરી દેવાયા હતા.આમંત્રીત શ્રોતાઓ તથા રફી સાહેબના અવાજના પ્રેમીઓએ મોટી સંખ્યામાં આ કાર્યક્રમ અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે માણ્યો હતો.
Trending
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી
- મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રથમ તબક્કાના મતદાન પહેલા ઉત્સાહભેર મતદાનમાં ભાગ લેવાની કરી અપીલ
- રિલાયન્સ પાવરના શેરએ રોકાણકારોને લાખો અપાવ્યા
- ઈરાન દ્વારા જપ્ત કરાયેલા કાર્ગો જહાજ MSC Ariesમાં સવાર ભારતીય મહિલા કેડેટ પરત ફર્યા