Abtak Media Google News

જામનગરના એક કારખાનેદારે પોતાની બાકી રહેતી રકમની ઉઘરાણી કરતા તેઓને બાકીદાર સહિતના ત્રણ શખ્સોએ ધોકાવી નાખ્યા છે.

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં શેડ નં.ર૪માં આવેલા પોતાના કારખાનામાં ગઈકાલે જામ ખીમલિયાના કારખાનેદાર જમનભાઈ મનજીભાઈ પરમાર હાજર હતા તે દરમ્યાન તનવીર ઈકબાલ ખત્રી નામના આસામી આવ્યા હતા.

આ વ્યક્તિ પાસે જમનભાઈએ અગાઉ આપેલા બ્રાસપાર્ટના રૃા.૩૨ લાખ લેવાના બાકી હતા જેની જમનભાઈએ ઉઘરાણી કરતા ઉશ્કેરાયેલા તનવીર તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સોએ હોકી વડે જમનભાઈ પર હુમલો કર્યો હતો. આ વેળાએ કામ પર રહેલા સરફરાજ કાદર તથા મહંમદ ઈસ્માઈલ કુરેશી વચ્ચે પડતા તેઓને પણ માર મારવામાં આવ્યો હતો. આ બાબતની જમનભાઈએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.