Abtak Media Google News

જામનગરમાં આવેલા રણજિત નગર વિસ્તારમાં રહેતા પોલીસ પુત્ર અશોકસિંહના રાહેણાંક મકાને એલસીબી દ્વારા દરોડા પાડી  દેહ વિક્રયના વેપ્લાનો પર્દાફાશ કરાયો છે બનાવ વિષે જાણવા મળતી વિગતો અનુસાર એલસીબીને ચોક્કસ બાતમી રાહે હકીકત મળેલ હતી કે રંજિતનગરના પોસ્ટ ઓફિસ પાસે રહેતો પોલીસ પુત્ર અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલાં બહારના રાજ્યમાથી લલનાઓ બોલાવી તેમનું શારીરિક શોષણ કરવાનો વેપલો ચલાવે છે.

જે બાબતે એલસીબી સ્ટાફે ત્યાં રેડ કરતાં બહારના રાજ્ય માથી બોલાવેલી 3  યુવતીઓ સાહિત અશોકસિંહ ,નયનપુરી મહેશપુરી ગૌસ્વામી તથા ઇમરાન ઇબ્રાહિમ સુંભણિયા  મળી આવતા તમામ સખ્સોં સહિત 32400 ની રોકડ તથા મોબાઇલ ફોન મળી કુલ 41900 રૂપિયાનો મુદ્દામલ કબ્જે કરાયો છે તથા આ કાળો કારોબાર કેટલા સમય થી ચાલી રહ્યો હતો વિગેરે બાબતે પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.