Abtak Media Google News

બેંગલુરુથી 30  કિમી દૂર આવેલા બિદાદીમાં રેલવે ટ્રેક પર સેલ્ફી લેતાં 3  સગીર ટ્રેનની અડફેડે આવીને કપાઈ ગયા હતા. પોલીસે તેમની બોડી ઓળખ માટે મોકલી આપી દીધી છે. સવારે 9.30થી 10.00 કલાકની આસપાસ બાળકોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે.

ત્રણ સગીર રેલવે ટ્રેકની એકદમ નજીક ઉભા રહીને ધસમસતી આવતી ટ્રેનની સેલ્ફી લઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રેન તેમની પાસે આવી ગઈ અને બેલેન્સ ગુમાવતા અડફેડે આવી જતાં ત્રણેયના મોત થયા હતા.

બેંગલુરુ પાસે આવેલા રામનગર જિલ્લામાં એનસીસી કેમ્પમાં ગયેલા એક વિદ્યાર્થીનું થોડા દિવસો પહેલા તળાવમાં ડૂબી જવાથી મોત થયું હતું. મૃતક વિદ્યાર્થી વિશ્વાસ બેંગલુરુ પાસે જયાનગરમાં આવેલી નેશનલ કોલેજનો વિદ્યાર્થી હતો. ઘટના તે સમયની છે જ્યારે તેની સાથે ગયેલા તેના મિત્રો કિનારે ઊભા રહીને સેલ્ફી લેવામાં બિઝી હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.