Abtak Media Google News

બંને ભાઇઓએ પોતાના માતા-પિતાને લાશ બતાવી મૃતક બહેનના બ્યુટી પાર્લર પાસે મૃતદેહ સાથે કારમાં મુકી આવ્યા

શહેરમાં હત્યાનો ફરી સીલસીલો શ‚ થયો હોય તેમ બે દિવસ પહેલાં લક્ષ્મી સોસાયટીમાં પિતાએ માસુમ પુત્રની હત્યા કર્યાના ગણતરીના કલાકોમાં જ તિ‚પતિ બાલાજી પાર્ક પાસેથી બનેવીનું અપહરણ કરી બે સાળા સહિત ત્રણ શખ્સોએ હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે. દસેક માસ પહેલાં બહેનની બનેવીએ હત્યા કરી હોવાથી જેલમાંથી છુટેલા બનેવીનું છરીના ઘા ઝીંકી ઢીમઢાળી ત્રણેય માલવીયાનગર પોલીસમાં હાજર થતા ભક્તિનગર પોલીસે ત્રણેય સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તિ‚પતિ બાલાજી પાર્કમાં રહેતા રવિ કિરીટભાઇ વાડેચા નામના સુથાર યુવાનનું ગઇકાલે સાંજે તેના જ ઘર પાસે છરીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશને જી.જે.૩એચકે. ૧૮૧ નંબરની સ્વીફટ કારમાં હર્ષદ સુરેશ ચૌહાણ, પ્રશાંત સુરેશ ચૌહાણ ‚ષિ નામનો નેપાળી શખ્સ લઇ ગયાની પોલીસમાં જાણ થતા શહેરભરની પોલીસે નાકાબંધી કરી હતી.દરયિમાન હર્ષદ સુરેશ ચૌહાણ, પ્રશાંત સુરેશ ચૌહાણ અને ‚ષિ નેપાળી માલવીયાનગર પોલીસમાં હાજર થઇ પોતાના બનેવી રવિની હત્યા કર્યાની કબુલાત આપી હતી. પી.આઇ. બી.એમ.જાડેજા સહિતના સ્ટાફે ત્રણેયને સાથે રાખી લાશ અંગે પૂછપરછ કરતા તેને રવિ વાડેચાની જ કારમાં પુષ્કરધામ પાસે મુકી આવ્યાની કબૂલાત આપી હતી.ત્રણેય શખ્સોને માલવીયાનગર પોલીસે ભક્તિનગર પોલીસને સોપતા પી.આઇ. વી.કે.ગઢવી અને રાઇટર નિલેશભાઇ મકવાણા સહિતના સ્ટાફે રવિની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી ત્રણેયની પૂછપરછ કરતા પોતાની બહેન રાધિકાએ રવિ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રાધિકાને ચારિત્ર્ય અંગે શંકા કરી ત્રાસ દેતા અને ફલેટ ખરીદ કરવા દબાણ કરતો હતો. રાધિકાને દસેક માસ પહેલાં ચોટીલા લઇ જઇ છરીના ઘા ઝીંકી હત્યા કરતા પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.રવિ વાડેચા બીમાર રહેતો હોવાથી પાંચ દિવસ પહેલાં દસ દિવસ માટે પેરોલ પર છુટયો હોવાની હર્ષદ ચૌહાણ અને પ્રસાંદ ચૌહાણને જાણ થતા તેનો પીછો કરવાનું શ‚ કર્યુ હતુ. દરમિયાન તેને કોઠારિયા રોડ પર જતા જોયો હોવાથી તેની પાછળ તેના ઘર સુધી ગયા હતા અને તેના ઘર પાસે જ ‚ષિ નેપાળીએ રવિને પકડી રાખ્યો હતો અને બંને ભાઇઓએ છરીના ઘા ઝીંકી લોહીથી લથબથ થયેલા રવિને તેની જ કારમાં નાખી ચાલુ કારે પણ બંને ભાઇઓએ છરીના ઘા મારી હત્યા કરી નાખી લાશને પોતાના માતા-પિતાને બતાવી રવિની હત્યા કર્યાની જાણ કર્યા બાદ રાધિકા પુષ્કરધામ પાસે બ્યુટી પાર્લર ચલાવતી ત્યાં કાર લઇ જઇ કાર રેઢી મુકી લોક કરી રિક્ષામાં માલવીયાનગર પોલીસ મથકે પહોચી હત્યા કર્યાની કબૂલાત આપી હતી. પોતાની બહેનની હત્યાનો બદલો લીધાનું જણાવ્યું હતું. ભક્તિનગર પોલીસે ત્રણેય સામે મૃતક રવિ વાડેચાની માતા હંસાબેન કિરીટભાઇ વાડેચાની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.