Abtak Media Google News

સંતકબીર રોડ અને કણકોટના પાટીયા પાસે બાઈકની ઠોકરે વૃધ્ધનું અને સાંઢીયા પુલ પર વાહનની ઠોકરે યુવાનનું મોત

શહેરમાં અકસ્માતોના બનાવોની હારમાળા સર્જાઈ હોય તેમ અવાર નવાર અકસ્માતો બન્યા હોવાનું પોલીસ મકમાં નોંધાયું છે. ત્યારે સંતકબીર રોડ, કણકોટના પાટીયા પાસે અને સાંઢીયા પુલ પર અકસ્માત સર્જાતા યુવાન સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજયા હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે.

પોલીસમાંી પ્રાપ્ત વિગત મુજબ સંતકબીર રોડ પર કબીરવન સોસાયટીમાં રહેતા નારણભાઈ દુધરેજીયા નામના બાવાજી વૃધ્ધ કબીરવન વિભાગ મેઈન રોડ પર જતા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનું મોત નિપજયું હતું. મૃતકના પુત્ર જયેશભાઈ દુધરેજીયાએ થોરાળા પોલીસ મકના બાઈક ચાલક સામે ગુનો નોંધાયો છે.

જયારે બીજા બનાવમાં કાલાવાડ રોડ પર આવેલા જયભીમનગરમાં રહેતા મુલજીભાઈ પરમાર નામના વૃધ્ધ પોતાનું બાઈક લઈ ધુળીયાી રાજકોટ તરફ આવતા હતા ત્યારે કણકોટ ગામના પાટીયા પાસે નંબરના બાઈક ચાલકે વૃધ્ધના બાઈકને હડફેટે લેતા બાઈક સવાર વૃધ્ધનું મોત નિપજયું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાંઢીયા પુલ પર રોડ ક્રોસ કરી રહેલા ભોલાભાઈ બુધરામભાઈ સોનકર નામના ૨૨ વર્ષના યુવાનને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી તપાસ હા ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.