Abtak Media Google News

હિંમતનગરના સરવણા ગામે નર્મદાની પાઈપ લાઈનમાં લીકેજ થતા હજ્જારો ક્યુસેક પાણી વેટફાઈ રહ્યુ છે અનેકવાર રજુઆત કરવા થતા પણ આ પાણીબંધ થતુ નથી.

3 43એક બાજુ સમગ્ર ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે ત્યારે અહિ છેલ્લા એક વર્ષથી નર્મદાની પાઈપ લાઈન લીકેજ છે અને અત્યાર સુધીમાં અહિથી હજ્જારો ક્યુસેક પાણીનો વેટફાટ થઈ ચુક્યો છે.

2 67

ગામ લોકોને ખેતરમાં જવાનો આ એક માત્ર રસ્તો છે પરંતુ અહિ પાણી ભરાઈ જતા ખેડુતો ખેતરમાં પણ જઈ શકતા નથી તો અનેક વાર તંત્રને રજુઆત કરવા છતા પણ તંત્ર દ્રારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે. એક બાજુ પાણી બચાવાની વાતો ચાલે છે ત્યારે અહિ મહિનાઓથી પાણી વેટફાઈ રહ્યુ છે છતા પણ તંત્ર જાગ્યુ નથી.

1 75

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.