Abtak Media Google News

એવું કહેવાય છે કે સુવાવડ બાદ સ્ત્રીનો બીજો જન્મ થાય છે સુવાવડનો દુ:ખાવો એટલો વધુ હોય છે કે તેને સહ્યા બાદ એ સ્ત્રીની બધી શક્તિ જાણે હણાય જાય છે. અને નવ મહિના સુધી બાળકને પેટમાં ઉછેર્યા બાદ તેનો જન્મ થાય છે તો તેના શરીરમાં પણ અનેક બદલાવ આવે છે, તેવા સમયે સુવાવડીનો ખોરાક જ તેને પુત્રી શક્તિ પુરી પાડી શકે છે અને એટલે જ પહેલાના જમાનાથી લઇ અત્યાર સુધી સુવાવડીના ખોરાકમાં એક મહત્વની વસ્તુ હયાત છે. જે છે ઘી….તો આવો જાણીએ એ કઇરીતે તેને મદદરૂપ થાય છે.

હાડકા માટે ગ્રીસનું કામ કરે છે ઘી…

Ghee In Pregnancyબાળકને જન્મ આપ્યા બાદ માતાના શારિરીમાં ખુબજ નબળાઈ આવી હોય છે અને હાડકાને પણ પહેલા કરતા વધી ગ્રીસની જરૂરત હોય છે. સાંધામાં આવેલી ગ્રીસની કમીને ઘી પુરી કરે છે એટલે જ સુવાવડીને ઘી આપવું જરૂરી છે.

બાળકના સ્તનપાન માટે ઉપયોગી

Is Consuming Ghee Good After Deliveryબાળક જન્મ છ મહિના સુધી સંપૂર્ણપણે સ્તનપાન પર નિર્ભર હોય છે તેવા સમયે માટે માતાએ પોતાના આહારમાં પોષણક્ષમ સમાવેશ કરવો જોઈએ અને ઘીમાં અનેક પ્રકારના પોશાક તત્વો રહેલા હોય છે એટલે જ માટે તેન સમાવેશ કરવો જોઈએ જેથી બાળકને પણ પૂરતા પ્રમાણમાં પોષણ મળતું રહે.

પેટની સમશ્યાઓને દૂર કરે છે…

Digestiveissues4 Headerડીલીવરી પહેલા અને પછી અનેક સ્ત્રીઓને પેટને સંબંધિત સમશ્યાઓ રહેતી હોય છે જેમ કે કબજિયાત, એસીડીટી વગેરે. ઘીમાં એવા પોશક તત્વો રહેલા છે જેનાથી આ પ્રોબ્લેમ દૂર થાય છે.

માઈગ્રેનને દૂર કરે છે.

Relief From Migraine Pain In 2 Minutesઘી એટલું ગણ કારી હોય છે જેનાથી સુવાવડ બાદ પણ જો તે પ્રોબ્લેમ રહેતો હોય તો ઘીના સેવનથી તેમાં રાહત મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.