સ્વદેશી બનાવટનું INS કિલતાન ભારતીય નેવીમાં સામેલ થઈ ચૂક્યું છે. સંરક્ષણમંત્રી સીતારામને નેવીના એન્ટિ સબમરીન વૉરશિપ INS કિલતાનને નેવીમાં કમિશન અપાવ્યું છે. તેની સૌથી મોટી ખૂબી એ છે કે તે દુશ્મનની કોઇપણ સબમરીનને થોડીક જ મિનિટોમાં નિશાન બનાવીને તેને નષ્ટ કરી શકે છે. આ સ્ટીલ વૉરશિપનું નામ લક્ષદ્વીપ અને મિનિકોય દ્વીપસમૂહની નજીક આવેલા એક નાનકડા દ્વીપના નામ પરથી રાખવામાં આવ્યું છે. આઇએનએસ કિલતાન ઇસ્ટર્ન નેવલ કમાન્ડની પાસે રહેશે અને કમિશનના પહેલા જ દિવસે તે પોતાની જવાબદારી સંભાળી શકે છે. દેશમાં બનેલા શિવાલિક ક્લાસના વૉરશિપમાં તેનો ત્રીજો નંબર છે. આ પહેલા INS કાર્મોતા અને INS કદમત્ત ઇન્ડિયન નેવીને સોંપાઇ ચૂક્યા છે. ત્રણેય વૉરશિપમાં નેવીના હથિયારો હાજર રહેશે. આ ઉપરાંત ઇટેક સેન્સર્સ લાગેલા છે જે કોમન ઓપરેશનલ પિક્ચર (COP) મેળવવામાં મદદ કરશે. એટલે કે યુદ્ધ દરમિયાન ત્રણેય વૉરશિપ એકસાથે જ ઓપરેટ કરી શકાશે. કિલતાન દેશનું પહેલું એવું વૉરશિપ છે, જેને બનાવવામાં કાર્બન ફાયબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી તેના સ્ટીલ ફીચર બાકીના જહાજોની સરખામણીએ વધુ સારા બની જાય છે. કાર્બન ફાયબર હલકા હોય છે એટલે તેમનું વજન ઓછું છે અને મેન્ટેનન્સ પણ સસ્તું રહેશે. આવનારા સમયમાં તેના પર શોર્ટ રેન્જ મિસાઇલ અને જંગી હેલિકોપ્ટર પણ તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત મોસ્ટ એડવાન્સ સોનાર અને સર્વિલાંસ રડાર રેવતી પણ તેના પર તહેનાત કરવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા