Abtak Media Google News

માડી તારા મંદિરીયામાં ઘંટારવ…

મા ચંદ્રઘંટાની પૂજા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. માતાજીની ઉપાસના શકિતદાયક છે. અને કલ્યાણકારી પણ છે. માતાજીનો રંગ સુવર્ણ સમાન છે. અને દશ હાથ છે તેમાં ખડગધારી છે. અને તલવાર ત્રીશુલ ભર શુસોભીન છે. માતાજીનું વાહન સિંહનું છે.

માતાજીની ઉપાસનાથી અલૌકિક વસ્તુના દર્શન થાય છે. અને દિવ્ય શુગંધ તથા દયનીનો અનુભવ થાય છે. માતાજીની ઉપાસનાથી બધા જ પાપો નસ્ટ થઈ જાય છે. અને જીવનની બધી જ બાધાઓ દૂર થઈ જાય છે.

માતાજીની ઉપાસના સાવધાન થઈ ને કરવી અને સાથે નિર્ભય થઈને કરવી જરૂરી છે. માતાજીની ઉપાસનાથી પ્રેતપીડા દૂર થાય છે. સાધના મા પવિત્રતાનો ખ્યાલ રાખવો જરૂરી છે.

માતાજી ચંદ્રઘંટાનીની ઉપાસનાનો બીજ મંત્ર: ૐ એ શ્રી શકત્યે નમ:

માતાજીનું નેવેધ: પંચામૃત અર્પણ કરવાથી બધા જ દુ:ખો દૂર થાય છે.

નવરાત્રી દરમિયાન ચંડીપાઠનું મહત્વ

ચંડીપાઠ એટલે ભકતોનાં મનુષ્યોના દુ:ખ દૂર કરવા માટેનું કલ્પવૃક્ષ છે. સકામ ભકતો આના સેવનથી પાઠથી મનને અભીષ્ટ દુર્લભતમ વસ્તુ અથવા સ્થિતિ સહજભાવે મેળવે છે.

ચંડીપાઠથી ઐશ્વર્ય આયુ આરોગ્ય બધી જ કામનાની પૂર્તી થાય છે. ચંડીપાઠના શ્ર્લોકોથી મનુષ્યના બધા જ દુ:ખ દૂર થાય છે. ચંડીપાઠમાં સાથે દેવીકવચ. અર્ગલા, કીલક, રાત્રી સુકન, દેવી અથર્વશીર્ષ સિધ્ધકુંજિકાસ્તોત્રના પાઠ પણ સાથે છે. ચંડીપાઠમાં કુલ ૧૩ અધ્યાય આવેલા છે. તેમાં ૭૦૦ શ્ર્લોક છે જે ૧૩ અધ્યાય મુખ્ય ત્રણ ભાગમાં છે જેમાં પ્રથમ ચરીત્ર એટલે મહાકાળી ત્યારબાદ મધ્યમચરીત્રી મહાલક્ષ્મી જેમા બીજો, ત્રીજો, ચોથો અધ્યાય આવે છે. ત્યારબાદ ઉતર ચરીત્ર એટલે મહા સરસ્વતી જેમ પાંચથી તેર અધ્યાય સુધી ઉતર ચરીત્ર ગણાય છે. આમ ત્રણ ચરીત્રમાં ચંડીપાઠના તેર અધ્યાય આવે છે.

જેમાં માતાજીએ મહિષાસુરનો વધ ચંડમુંડનો વધ રકતબીજનો વધ કર્યો હતો. ચોથો અધ્યાય એટલે શક્રાદયસ્તુતી જે દેવતાઓએ માતાજીની સ્તુતી કરેલી તે ચંડીપાઠનો અગીયારમો અધ્યાય એટલે માતાજીએ દેવતાઓનો આપ્યુ વરદાન ચંડીપાઠમાં પ્રાધાનિક રહસ્ય વૈકૃતિક રહસ્ય મૂર્તી રહસ્ય પણ આવેલા છે.

ચંડીપાઠના નિયમો પુસ્તક હાથમાં રાખીને પાઠ નથી કરી શકતો પોતાની સામે પુસ્તક રાખી પાઠ કરાય છે.

કોઈ પણ એક અધ્યાયનો પાઠ નથી કરી શકતો આખા ચંડીપાઠનો પાઠ કરવો અથવા તો આખા ચરીત્રનો પાઠ કરવો આમ ચંડીપાઠના ઘણા નિયમો છે.

તેનું પાલન કરવુ સ્પષ્ટ ઉચ્ચાર કરવો યોગ્ય ગુરૂ પાસેથી આખો ચંડીપાઠ શિખી અને ત્યારબાદ જ બોલી શકાય ખાસ કરીને પાઠશાળામાં પૂર્ણ શીખેલ બ્રાહ્મણો પાસે પાઠ કરાવો યોગ્ય ગણાય.

ચંડીપાઠમાં છેલ્લે જીવનના બધા જ પ્રશ્નોનું નીવારણ તથા વિશ્વના બધા જ પ્રશ્નોનું નિવારણના સિધ્ધ સંપુટ મંત્રો આવેલા છે. જેનાથી જીવનના બધાજ પ્રશ્નોનું નિવારણ થાય છે. ચંડીપાઠ વિશે જેટલુ લખીયે તેટલું ઓછુ જ ગણાય છતા પણ મારા જ્ઞાન પ્રમાણે અહી માહિતી રજૂ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.