Abtak Media Google News

સંવેદનશીલ રામ મંદિરના કેસનો ઉકેલ હવે હાવેંતમાં જ જણાય રહ્યો છે. ૧૯૯૪માં વડી અદાલતે ઈસ્લામ ધર્મના પાલન માટે મસ્જિદની જરૂર ની અને મસ્જિદની જમીન રાજય સરકાર હસ્તગત કરી શકે છે તેવો ચુકાદો આપ્યો હતો. હવે આ ચુકાદાની સમીક્ષા ખૂદ વડી અદાલત જ કરવા જઈ રહી છે.

વ્યવસ્થા મોટી કે આસ્થા તે અંગે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે. રામ મંદિર નિર્માણની વાત હિન્દુઓની આસ સો જોડાયેલી છે. જયારે નમાઝ પઢવા માટે મસ્જિદ એક વ્યવસ્થા  માનવામાં આવે છે. વડી અદાલતે નમાઝ પઢવા માટે મસ્જિદની જરૂર નથી, નમાઝ કોઈપણ સ્થળે પઢી શકાય છે તે પ્રકારનો ચુકાદો વર્ષ ૧૯૯૪માં આપ્યો હતો. ત્યારે હાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને અબ્દુલ નઝીરની ખંડપીઠે ૧૯૯૪ના પાંચ ન્યાયાધીશોની ખંડપીઠના ચુકાદાને રીફર કરવાનો નિર્ણય લીધો હોય તેવું જાણવા મળે છે.

આ કેસમાં વરિષ્ઠ વકીલ રાજીવ ધવને દલીલ કરી છે કે, શા માટે કેસનો એક ભાગ જ બંધારણીય ખંડપીઠને સોંપવો જોઈએ. આખો કેસ કેમ નહીં ? કોઈપણ ઈસ્યુને લાર્જર બેંકને સોંપવાની જ‚રીયાત ઉભી તી ની. અલબત બેંચે આ મામલે કહ્યું છે કે, પહેલા આપણે એ વિવાદનો ઉકેલ લાવવો જોઈએ કે ઈસ્લામમાં નમાઝ માટે મસ્જિદ આવશ્યક છે કે, નહીં ? ત્યારબાદ આ મામલે યોગ્ય ચુકાદો આપી શકાશે તેવો મત પણ વ્યકત ઈ રહ્યો છે. જો ૧૯૯૪ના ચુકાદાને રીફર કરવામાં આવશે તો કેસનો તત્કાલ ઉકેલ આવશે તેવું માનવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.