Abtak Media Google News

બે દિ’ ભાઈને ત્યાં ગયેલા પટેલ પરિવારના મકાનમાં તસ્કરો ખાબકયા

મુળ રાપરના પદમપર ગામના અને હાલે ગાંધીધામ ખાતે નોવેલ્ટીની દુકાન ચલાવતા અને આદીપુર ખાતે મકાન નંબર ૭૭૩માં રહેતા ગોકળભાઈ અંબાવીભાઈ તા.૨૪ જુલાઈથી તા.૨૬ જુલાઈ બે દિવસ તેમનો પરિવાર તેમના અંજારના મેઘપર બોરિચી ખાતે રહેતા ભાઈને ત્યાં રોકાવા ગયા હતા તે દરમિયાન તેમના આદીપુર ખાતેના આવેલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી કબાટમાં રાખેલા સોનાના હાર, ચેન, બુટી, ત્રણ વીંટી, ત્રણ નાકના દાણા, નાકનું ફુલ, દાણીયા, ટપા, સોનાના પારા, પાંચીયા, ચાંદીના ઝાંઝરા કંદોરો, સિક્કા મળી કુલ રૂ.૧,૯૬,૦૦૦ના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા છે.

મકાન પર આંટો મારવા આવ્યા ત્યારે તૂટેલા દરવાજો જોઈ અંદર જઈને જોતા ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. આદિપુરમાં ટૂંક સમયમાં ચોરીની આ ત્રીજી ઘટના નોંધાઈ છે. હાલ તો પોલીસ પણ સતર્ક છે તેવામાં ચોરીની ઘટના નોંધાતા પોલીસ સામે પડકાર ઉભો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.