Abtak Media Google News

ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો : મૃતકની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ

મોરબી શોભેશ્વર રોડ પર યુવાનની તીક્ષ્ણ હથીયાર ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસની ટીમે ઘટના સ્થળે દોડી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ હત્યાની ઘટનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામાકાઠા વિસ્તારમાં આવેલ શોભેશ્વર રોડ પર યોગી નગર સોસાયટીમા અજાણ્યા યુવાનની તીક્ષ્ણ હથિયાર ઘા ઝીંકી હત્યા કર્યા હોવાની પોલીસને જાણ થતા બી-ડીવીઝન ટીમ ત્યાં દોડી ગઈ હતી. જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, ડી.વાય.એસ.પી. ચૌધરી , એલ.સી.બી. અને એસ.ઓ.જી ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હત્યા કોની થઈ છે. હત્યા ક્યાં કારણો થી થઈ છે. અને કોણે આ હત્યા કરી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.