Abtak Media Google News

ધ્રાંગધ્રા શહેરમાં ટયુશનકાસીસ ચલાવનાર સંચાલક પોતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર ફેલાયો છે.

જેમાં ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં આવેલ મોરીની વાડી સામે રહેતા ધી‚ભાઈ ગોવરધનભાઈ મોરી ઉ.૩૦નો યુવાન ગઈકાલે વહેલી સવારે પોતાના રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ પરણીત યુવાન ધ્રાંગધ્રા શહેરમા ટયુશન કલાસીસ પણ ચલાવતો હતો તેઓના પિતા ગોવરધનભાઈ મોરી જયારે સવારે પોતાના દિકરાના રૂમમાં ગયા તે સમયે પોતાના પુત્રની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ જોવા મળતા તેઓ દ્વારા તુરત સીટી પોલીસને જાણ કરી હતી જયારે સીટી પોલીસ દ્વારા પણ તાત્કાલીક ઘટના સ્થળે જઈ તપાસ કરી યુવાનને ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે લય જવામાં આવ્યો હતો જયા તબીબ દ્વારા તેઓને મૃત જાહેર કર્યા હતા. પોલીસ તપાસ અધિકારી ડી.ડી. લકુમ દ્વારા પ્રાથમિક તપાસ દરમિયાન જણાવ્યું હતુ કે આ યુવાનની લાશ પાસે કે અન્ય યુવાનના રૂમમાં કોઈ સ્યુસાઈટ નોટ મળી નથી તથા તેઓના પરિવારને પૂછતા યુવાન કોઈ અગમ્ય કારણોસર મોતને ભેટયો હોય તેવું જાણવા મળે છે. જેથી હાલ આ યુવાન દ્વારા આત્મહત્યા કરી હોવાથી પોલીસે અગમ્ય કારણોસર આત્મહત્યાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ દ્વારા તપાસનો વિષય છે. કે ધ્રાગધ્રા શહેરમાં ટયુશનકલાસીસ ચલાવનાર એજયુકેટેડ યુવાન દ્વારા અચાનક આત્મહત્યા કરી લેવા પાછળ કારણ શું છે?

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.