Abtak Media Google News

જામનગર નજીકના બાલંભડી ગામના એક વિદ્યાર્થીએ બીએસસીની  પરીક્ષામાં નાપાસ થતા ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી છે. આ બનાવે તેમના પરિવારને હતપ્રભ બનાવી દીધો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના બાલંભડી ગામમાં રહેતા હરપાલસિંહ મદારસિંહ જાડેજા નામના વીસ વર્ષના યુવાન હાલમાં બીએસસીના આખરી વર્ષમાં અભ્યાસ કરતા હતા. તેઓએ તાજેતરમાં જ તેની પરીક્ષા આપી હતી.આ પરીક્ષાનું પરિણામ જાહેર થતા તેમાં હરપાલસિંહ નાપાસ થતા તેઓ આઘાત પામ્યા હતા. આ યુવાને ગઈકાલે સવારે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો.

જેની જાણ બપોરે તેમના પરિવારને જતા આ યુવાનને નીચે ઉતારી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજતા ગુમાનસિંહ ટપુભા જાડેજાએ પોલીસને જાણ કરી છે. સિક્કા પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.જે. પરિયાણીએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ આરંભી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.