Abtak Media Google News

સાત રસ્તા પાસે યુવાનને આંતરી છરીના અડધો ડઝન ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું

જામનગરના દિગ્જામ સર્કલ નજીક રહેતા ભાનુશાળી યુવાનને કુતરાના પ્રશ્ર્ને પાડોશી યુવક સાથે થયેલી બોલાચાલીના કારણે ગતરાતે સાત રસ્તા પાસે આંતરી છરીના ઘા ઝીંકી હત્યા કરતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે મૃતકના પાડોશી શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુજબ દિગ્જામ સર્કલ પાસે આવેલી અંધ આશ્રમ કોલોનીમાં રહેતા અને જેલના કેદીઓને ટિફિન સર્વિસનું કામ કરતા દિપક પ્રભુદાસ જોઇસર નામના ૪૦ વર્ષના યુવાનને તેના પાડોશમાં રહેતા દિપેશ વિનોદ કનખરા નામના શખ્સે સાત રસ્તા પાસે આંતરી છરીના છ જેટલા ઘા ઝીંકી હત્યા કર્યાની મૃતકના ભાઇ પ્રફુલ પ્રભુદાસ જોઇસરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતક દિપક જોઇસરને તેના પાડોશમાં રહેતા દિપેશ કનખરા સાથે દસેક માસ પહેલાં પાલતુ કુતરાના પ્રશ્ર્ને ઝઘડો થયો હોવાથી બંને વચ્ચે અદાવત ચાલતી હતી જેના કારણે ગત રાતે નવેક વાગે દિપક જોઇસર પોતાની રિક્ષા લઇને સાત રસ્તા પાસેથી પસાર થતો હતો ત્યારે દિપેશ કનખરાએ આંતરી છરીને છ જેટલા ઘા મારી હત્યા કાર્યનું ફરિયાદમાં જણાવ્યું છે. સિટી ડીવાય.એસ.પી. એ.પી.જાડેજા અને સિટી બી ડિવિઝનના પી.આઇ. જી.પી.પરમાર સહિતના સ્ટાફે દિપેશ કનખરા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.