Abtak Media Google News

સાંજના સમયે આરતી-દીપમાળા પ્રજવલીત કરાઈ

૩૧ ઓક્ટોબર ના દિવસે અખંડ ભારતના શિલ્પી  શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની    જન્મજયંતી નીમીતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મંદિર  પરિસર માં આવેલ  સરદારશ્રીની પ્રતિમાં ખાતે  સરદાર વંદના તથા ભૂદેવો દ્વારા કરવામાં આવેલ મંત્રોચ્ચાર સાથે સરદાર શ્રી ની પ્રતિમાને  પુષ્પાંજલી અર્પણ  કરવામાં આવેલ.

સાથે રન ફોર યુનિટી માં આવેલાં સ્કૂલના બાળકોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચિક્કી પ્રસાદ પણ આપવામાં આવેલ,  શ્રી સોમનાથ મંદિરમાં  મહામ્રુત્યુંજય જાપ,  વિશેષ મહાપુજા  કરવામાં આવેલ. આ પ્રસંગે  શ્રી  સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી  વિજયસિંહ ચાવડા સાહેબ  વેરાવળના  મામલતદાર શ્રી દેવકુમાર આંબલીયા સાહેબ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી/કર્મચારી સાથે સ્થાનિક અગ્રણીઓ  પણ જોડાયા હતા.શ્રી સોમનાથ મંદિરે  સાયં આરતી સમયે  દીપમાળા  પ્રજ્વલિત કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.