Abtak Media Google News

૧૪મી ફેબ્રુઆરીએ વિશ્વ આખાને આતંકી હુમલાથી હચમચાવી મૂક્યો હતો..આ દુખદ ઘટનાથી આજે પણ પૂરો દેશ ખુબ જ ગુસ્સામાં છે. સીઆરપીએફના ૪૦ જેટલા જવાનોએ આ હુમલામાં પોતાની જાન ગુમાવી શહીદ થયા હતા.આ ઘટનાએ વિશ્વ આખામાં દેશ પ્રત્યેની ભાવના ફરી એક વાર જગાવી દીધી. બોલિવૂડના એક્ટરોએ હૃદયસ્પર્શી ગીત ગાઈને શહીદ થયેલાં જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે.

બોલિવૂડના દિગ્ગજ એવા અમિતાભ બચ્ચ્ન તેમજ રણવીર કપૂર અને આમિર ખાન દ્વારા આ શહીદો માટે એક ગીત રેકોર્ડ કરવામાં આવ્યું છે.

તેમણે પોસ્ટમાં ત્રણેય એક્ટરનો સોન્ગ રેકોર્ડ કર્યા વખતનો ફોટો શેર કર્યો છે. દેશ માટે શહીદ થયેલા જવાનો પ્રત્યે સપોર્ટ દેખાડવા બદલ સીઆરપીએફે આમિર, અમિતાભ અને રણબીરનો આભાર માન્યો છે. ત્રણ એક્ટરના અવાજમાં રેકોર્ડ કરેલું ‘તુ દેશ મેરા’ સોન્ગ ટૂંક સમયમાં રિલીઝ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.